રાજકોટ, તા.13
લોન પર લીધેલું વાહન ફાઈનાન્સ કંપની દ્વારા વેચી નાખવામાં આવે ત્યારે કરારનો અંત થાય તેવું ઠરાવી કોર્ટે આરોપીને ચેક બાઉન્સનાં કેસમાં નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.
ફરિયાદી શ્રીરામ ફાઈનાન્સ કંપનીમાંથી એકટ આરોપી અભિષેક રસીકચંદ્ર શુકલએ રૂ।,35,000ની વાહન ખરીદવા લોન લીધી હતી. જે પછી હપ્તાઓ ચડી જતા રૂ.4,00,000 ભરપાઈ કરવાના થતા વાહન કંપની દ્વારા સીઝ કરી વેંચી નાખવામાં આવેલ અને બાકી નિકળતી રકમ રૂ।,00,000 સમાધાન પેટે ચૂકવવા આરોપીએ ચેક આપેલ. ચેક રિટર્ન થતા રાજકોટનાં એડીશ્નલ ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ. કેસ ચાલતા આરોપીના વકીલે દલીલ કરી કે, ફરિયાદી કંપનીએ આરોપીનું વાહન પરત ખેંચી, વેચી દીધું છે.
હિસાબો પુરવાર કરવામાં ફરિયાદી નિષ્ફળ ગયેલ છે. આરોપીના વકીલે સાથે હાઈકોર્ટનાં ચૂકાદા ટાંકેલા. જે ધ્યાને લઇ કોર્ટ એવા નિષ્કર્ષ પર આવેલ કે, કંપનીએ વાહન જપ્ત કરી વેચી દીધેલ હોય હાઈપોથીકેશન કરારમાં વટાઉખત અધિનિયમ કલમ-43 મુજબનું અવેજનું તત્વ રહેતુ નથી અને કરારનો અંત આવે છે. જેથી આરોપીને તકસીરવાન ઠરાવી શકાય નહીં. કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી યુવા ધારાશાસ્ત્રી સ્તવન જી. મહેતા, નિકુંજ એમ. શુકલા, બ્રિજેશ ચૌહાણ, નિલરાજ રાણા, પ્રકાશ ચાવડા, શ્યામ ત્રિવેદી, સત્યજીસિંહ જાડેજા, નિરંજન ભટ્ટી, મદદનીશ તરીકે કશ્યપ પંડયા, નિશાંત ચાવડા અને ઋષિત રોહિત રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy