રાજકોટ, તા.1
ગુજરાતમાં જ્યારથી જીએસટી કાયદો અમલી બન્યો છે ત્યારથી અત્યાર સુધીમાં અસંખ્ય બોગસ બીલીંગના કેસો ઝડપાયા છે અને કરોડો રૂપિયાના બોગસ બીલીંગના કૌભાંડો પણ તંત્રએ ઝડપી લીધા છે. આવા કૌભાંડ કરનારા તત્વોની જીએસટી તંત્રએ અનેક વખત જુદા-જુદા કેસોમાં ધરપકડો પણ કરી છે. પરંતુ મોટાભાગે આરોપીઓ કોર્ટમાં જામીન પર છુટી જવાના કિસ્સા સામે આવ્યા છે.
જો કે હાલમાં જ રાજ્યમાં જીએસટી કાયદો અમલી બન્યા બાદ સૌ પ્રથમવાર બોગસ બીલીંગના એક કેસમાં આરોપીને ત્રણ વર્ષની કેદની સજા અને રૂા.બે લાખનો દંડ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હોવાનું જીએસટીના અધિકારી સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ અંગેની મળતી વધુ વિગતો મુજબ પાન ગલ્લાવાળા સામાન્ય નોકરી કરતા તથા મજુર વર્ગને લોનની લાલચ આપી તેમની પાસેથી પાનકાર્ડ, આધારકાર્ડ વિગેરે દસ્તાવેજો મેળવી બોગસ જીએસટી પેઢીઓ ઉભી કરી બોગસ બીલીંગનું કૌભાંડ આચરવાના અને સરકારને રૂા.13 કરોડ જેટલી રેવન્યુનું નુકશાન કરનાર આરોપીની તાજેતરમાં સ્ટેટ જીએસટી તંત્રએ ધરપકડ કરી હતી.
આ કૌભાંડનો આરોપી રાયધન ગોવિંદભાઇ ડાંગરનો કેસ તાજેતરમાં રાજકોટની ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતાં જજ શ્રી તાપીયાવાલાએ આરોપીને દોષીત ઠેરવી 3 વર્ષની કેદ તથા રુા.બે લાખનો દંડ કર્યો છે. આ કામમાં આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસિક્યુટર કે.બી. જાડેજાએ જીએસટી વિભાગ તરફથી દલીલ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy