રાજકોટ:તા 12
અમિતભાઈ શાહને મોદી 3.0 શાસનમાં ફરી ગૃહ અને સહકાર ખાતાંનો ભાર સોંપવામાં આવ્યો છે. આ સમાચારથી સહકારી ક્ષેત્રમાં હર્ષ અને ગૌરવની લાગણી પ્રસરી ગયેલ છે. ઉલ્લેખનીય છે કે મોદી શાસન 2.0 કાર્યકાળમાં દેશમાં સર્વપ્રથમ વખત સહકારિતા મંત્રાલયની રચના કરવામાં આવી હતી.
અમિતભાઈ શાહ સહકારી ક્ષેત્રના અનુભવી કાર્યકર્તા હોવાને કારણે સહકારી ક્ષેત્રની સમસ્યાઓથી વાકેફ હતા એટલે તેમણે સહકારી ક્ષેત્રમાં સુધારા કરવા પર ભાર મૂક્યો અને વરિષ્ઠ સહકારી નેતા સુરેશ પ્રભુના વડપણ હેઠળ સહકારી ક્ષેત્રમાં સુધારા લાગુ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી અને સહકારી ક્ષેત્રમાં સુધારો કર્યો છે આ દરમિયાન ભારતે વિશ્વને એ પ્રતીતિ આપી કે સહકારિતાના માધ્યમ થકી નાના માણસના જીવનમાં પરિવર્તન આણી શકાય છે. સાથે જ એ પ્રતીતિ પણ આપી કે સહકારિતા ક્ષેત્ર કોર્પોરેટ જગતને સ્પર્ધા પૂરી પાડવા સક્ષમ છે.
સહકારી ક્ષેત્રના રાષ્ટ્રીય અગ્રણી અને નેશનલ અર્બન કો-ઓપરેટીવ ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NUCFDC)ના ચેરમેન જ્યોતીન્દ્રભાઈ મહેતાએ અમિતભાઈ શાહની ફરી-વરણીને આવકારતાં જણાવ્યું છે કે અમિતભાઈના ફરી આવવાથી રાહત થઇ છે. તેમની પાસે સહકારિતા ક્ષેત્રને લઇ એક વિઝનરી મોડેલ છે. પોતાના પૂર્વ કાર્યકાળમાં સહકારી ક્ષેત્રને જે પોતાપણું અને વિશ્વાસની ભાવના આપી હતી, તેના થકી સહકારી ક્ષેત્રને તેમના પ્રત્યે અપેક્ષા બની છે કે તેઓ આ ક્ષેત્રને ઊંચું લાવી નવી ગતિ પ્રદાન કરવામાં કસર છોડશે નહીં. સહકારી ક્ષેત્રના સુધારાને નવી ગતિ સાંપડશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy