નવી દિલ્હી તા.26
જયારે ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્ર પર સફળતાપુર્વક લેન્ડીંગ કર્યુ ત્યારે વડાપ્રધાન મોદીએ 26 ઓગષ્ટ 2023ના ચંદ્રયાન-3ના લેન્ડીંગ સાઈટને ‘શિવ-શક્તિ’ નામ આપ્યાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના 7 મહિના બાદ ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમીકલ યુનિયન (આઈએયુ) એ 19 માર્ચે આ નામને મંજુરી આપી હતી.
ગેઝેટીયર ઓફ પ્લેનેટરી નોમેનકલેચર અનુસાર, આઈએયુ વર્કીંગ ગ્રુપ ફોર પ્લેનટરી સિસ્ટમ નોમેનકલેચરે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરના લેન્ડીંગ સ્થળ માટે ‘શિવશક્તિ’ નામને મંજુરી આપી દીધી છે.
આ નામની જાહેરાત વખતે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે શિવમાં માનવતાના કલ્યાણનો સંકલ્પ છે અને શક્તિ આપણને એ સંકલ્પ પુરા કરવાની તાકાત આપે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy