રાજકોટમાં માળખાકીય સુવિધાના કામો માટે 148 કરોડનો ચેક આપતા મુખ્યમંત્રી : મહાત્મા ગાંધી મંદિરમાં સમારોહ

Saurashtra | Rajkot | 13 June, 2024 | 03:27 PM
રાજયની મહાપાલિકા તથા નગરપાલિકાઓને કુલ 2111 કરોડના ગ્રાન્ટના ચેક અર્પણ કરતા ભુપેન્દ્રભાઇ પટેલ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 13
રાજય સરકારના મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ તરફથી પ્રતિ વર્ષની જેમ રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓના શહેરી વિકાસના કામો માટે મુખ્યમંત્રીના હસ્તે ચેક અર્પણ કરાય છે.

જે મુજબ આજે શહેરી વિકાસના કામો માટે મુખ્યમંત્રીના હસ્તે રૂ.2111 કરોડના ગ્રાંટના ચેક મહાત્મા ગાંધી મંદિર ખાતે આપવામાં આવ્યા હતા જેમાં રાજકોટ મહાપાલિકાને 148 કરોડની માતબર ગ્રાન્ટ માળખાકીય સુવિધાના કામો માટે મળી છે. 

ચેક અર્પણ કરવાના આ સમારોહમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, કમિશનર દેવાંગ દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ ઉપસ્થિત રહેલ હતા અને  ચેક સ્વીકાર્યો હતો. 

ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને શહેરી વિકાસ કામો માટે રૂ.148 કરોડની માતબાર રકમની ફાળવણી કરવામાં આવેલ છે. જેનાથી શહેરમાં કાર્યરત તેમજ નવા પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપભેર આગળ ધપશે તેવું જણાવી પદાધિકારીઓએ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj