હત્યાના ગુનામાં સજા બાદ જામીન અરજી મંજુર કરતી કોર્ટ

Crime | Rajkot | 27 April, 2024 | 04:41 PM
સાંજ સમાચાર

રાજકોટ તા.27

 કોઠારીયા રોડ પર રણુજા મંદીર પાસે થયેલ હત્યાના ગુન્હામાં આજીવન સજા પામેલ આરોપીનો જામીન ઉપર છુટકારો થયો છે. આ પહેલા સેશન્સ અદાલત દ્વારા 3 આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવેલી હતી.

 કેસની વિગત મુજબ તા.13/8/2017ના રોજ સંગીતાબેન હરીશભાઈ કારીયાએ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ કે, મેં ઈમરાનભાઈને હાથઉછીના રૂા.10,000 આપેલ તે મને આપી જાવ તેમ કહેતા ઈમરાનભાઈએ તેને કોઠારીયા રોડ રણુજા મંદિર આગળ બોલાવેલ. ફરીયાદી તથા સુલતાનભાઈ તથા દીલાવરભાઈ તથા વિશાલભાઈ વિગેરે ત્યાં ગયેલ અને ત્યાં રંજનબેન, રંજનબેનના ઘરવાળા અને ઈમરાનભાઈ હાજર હતા. રકમ પરત માંગતા ઈમરાનભાઈ ઉશ્કેરાઈ ગયેલ. ઈમરાનભાઈ પાસે છરી હોય જે મને મારવા જતા સુલતાનભાઈ વચ્ચે પડતા સુલતાનભાઈને પેટના ભાગે મારી દીધેલ. તેને સારવારમાં ખસેડાયા હતા. સારવારમાં મોત થતા હત્યાની કલમ ઉમેરાઈ હતી.

કેસ ચાલી જતા સેશન્સ અદાલતે ઈમરાન કરીમભાઈ માડમ, અશોક મનસુખભાઈ કુવાડીયા, રંજનબેન અશોકભાઈ કુવાડીયાને તકસીરવાન ઠરાવી આજીવન સજાનો હુકમ કરેલ હતો અને દરેક આરોપીને 13,000 દંડ ભરવાનો હુકમ કરેલ હતો. જે પછી આરોપીઓએ હાઈકોર્ટમાં અપીલ કરેલ હતી. જેમાં ઈમરાન માડમ, રંજનબેન કુવાડીયાએ જામીન અરજી પણ કરેલી, જે અરજી ચાલી જતા હાઈકોર્ટ દ્વારા આરોપી ઈમરાન અને રંજનબેનને રૂા.15,000ના અપીલ ચાલતા દરમ્યાન જામીન ઉપર મુકત કરેલ છે. આ કેસમાં રાજકોટના ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, મીલન જોષી, જયવીર બારૈયા, ખોડુભા સાકરીયા, દીપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર તથા હાઈકોર્ટના એડવોકેટ વિરાટભાઈ પોપટ, આશીષભાઈ ડગલી રોકાયેલ હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj