(લીતેશ ચંદારાણા)
વાંકાનેર તા.14
રાજકોટ રેલવે ડીવીઝનને રજૂઆત કરવામાં આવી છે કે તા.9 જુનથી 28 જુન સુધી પડધરી, ખંઢેરી સ્ટેશન પર ડબલ ટ્રેનનું કામ ચાલુ હોવાથી અમુક ટ્રેનોને રદ કરવામાં આવવાની છે.
રાજકોટ જંકશન ડબલ ટ્રેકનું કાર્ય 2 વર્ષથી પૂર્ણ થઈ ચુકયું છે અને રોજ ટ્રેનોએ ટ્રેક પર જ આવે છે. રાજકોટથી વાંકાનેર, થાન અને સુરેન્દ્રનગર જંકશનને જોડતી રોજની એક જ મુખ્ય ટ્રેન છે. (22960/22959) 28 જુન સુધી રાજકોટથી બંધ કરી સુરેન્દ્રનગર સુધી બંધ રાખવામાં આવી છે. જયારે ટ્રેન નં. 22926/22926 અમદાવાદ વંદે ભારત જે જામનગર (ખંઢેરી, પડધરી પહેલા)થી સવારે 5-30 વાગ્યે ઉપડે છે. તો એ ટ્રેન બંધ નથી કરવામાં આવી. અને જે ટ્રેન રાજકોટથી 6 વાગ્યે ઉપડે છે જે સામાન્ય લોકોની જીવાદોરી છે એ ટ્રેન 20 દિવસ માટે શા માટે બંધ??
રાજકોટ રેલવેના વિકાસ કામોમાં અવરોધ લાવવાની વાત નથી મુદ્દો એ છે કે જામનગરથી જો કોઈ ટ્રેનને બ્લોક અવરોધરૂપ નથી તો રાજકોટથી શા માટે એવી ટ્રેન બંધ કરવામાં આવે, જેમાં સામાન્ય માણસો રોજ આવે જાય છે. વંદે ભારત જેની અમદાવાદની ટીકીટ 1000 રૂપિયા આજુબાજુ છે અને 22960/22959 ઈન્ટર સીટી જે તમામ પ્રજાને અનુકુળ ટ્રેન છે.
રાજકોટથી વાંકાનેર, થાન અને સુરેન્દ્રનગર રોજની આ એક જ ટ્રેન છે બાકી બધી ટ્રેનોના સમય પ્રતિકૂળ હોવાથી લોકો નથી જઈ શકતા. જે લોકલ ટ્રેન (ઓખા-વિરમગામ) કોરોના કાળમાં બંધ કરવામાં આવી હતી તે હજારો અરજીઓ કરવા છતાંય નથી ચાલુ કરવામાં આવી.
કોઈ ધારાસભ્ય, સાંસદસભ્ય, કોઈ પદાધિકારી આ બાબત પર નથી ચર્ચા કરતું નથી કોઈને પ્રજાની તકલીફ જાણવી. મોહનભાઈ કુંડારીયાને ઘણી વખત રૂબરૂ અરજી આપવા છતા કોઈ જવાબ મળ્યો નહીં. રોડ પરિવહનના એકસીડન્ટ ઓછા થઈ શકે જો આ ટ્રેનોને ચલાવવામાં આવે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy