અયોધ્યા, તા.28
અયોધ્યા ધામ રેલવે સ્ટેશન પર ફેલાયેલી ગંદકી અને તેની નબળી જાળવણીનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે. આ ત્રણ માળનું રેલ્વે સ્ટેશન ગયા વર્ષે બનાવવામાં આવ્યું હતું અને તેમાં ઘણી સુવિધાઓ આપવામાં આવી હતી. આ રેલવે સ્ટેશન અયોધ્યા રામ મંદિરની ખૂબ નજીક છે.
અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્ટેશન પર ફેલાયેલી ગંદકી અને તેની ખરાબ હાલત સ્પષ્ટ દેખાઈ રહી છે.
આ પોસ્ટે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે કે, ગયા વર્ષે જ બનેલા આ રેલ્વે સ્ટેશનમાં ઘણી નવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્ટેશનની હાલત જોઈને આશ્ચર્ય થશે. સ્ટેશન પર પાનની પિચકારી અને ફેંકેલા ફૂડ પેકેટ પણ દેખાય છે. કપડા સુકવવા માટે પણ લોકો રેલિંગનો ઉપયોગ કરી રહ્યા છે.
લખનૌ ડીઆરએમએ આ મામલે કડક કાર્યવાહી કરી છે. ટ્વીટ કરવામાં આવ્યું છે કે, અયોધ્યા ધામ સ્ટેશન પર સ્વચ્છતા કોન્ટ્રાક્ટર પર અનિયમિતતા બદલ 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને સ્વચ્છ સ્ટેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy