(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.30
જસદણ તાલુકાના ગોખલાણા ગામે માતાજી ના માંડવામાં પ્રસાદ લીધા બાદ અંદાજે 400 થી વધારે લોકોને થતા વિવિધ સ્થળે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
જસદણના ગોખલાણા ગામે ગામ સમસ્ત દ્વારા મેલડી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
માતાજીના માંડવામાં ઘણા ભક્તો અહી આ માતાજીના માંડવનો લ્હાવો લેવા માટે પધાર્યા હતા. જસદણમાં આ માતાજીના માંડવામાં રાત્રે જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જમવાના કારણે 400 લોકોને એકસાથે જ ફૂડ પોઈઝન થતાં રાત્રે દોડ ધામ મચી જવા પામી હતી.
આ ઘટના સામે આવ્યા બાદ 108 તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અસરગ્રસ્ત લોકોને જસદણ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અસરગ્રસ્ત લોકોને ગોખલાણા ગામે ખાનગી દવાખાનામાં, જસદણની ખાનગી હોસ્પિટલોમાં, જસદણની સિવિલ હોસ્પિટલમાં વગેરે સ્થળે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
જસદણ સિવિલમાં પણ 22 લોકોને દાખલ કરવામાં આવ્યા છે. રઘુબેન મુકેશભાઈ, વીમુબેન પ્રતાપભાઈ, સુરભીબેન ભરતભાઈ, ભવ્યાબેન મુકેશભાઈ, નવલભાઇ ગભાભાઈ, ભૂમિબેન ધનજીભાઈ, જીગ્નેશભાઈ માવજીભાઈ, રોહનભાઈ પ્રવીણભાઈ સહિતના 22 થી વધારે લોકોને જસદણ સિવિલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.
ત્રણથી 11 વર્ષની ઉંમરના બાળકો પણ મોટી સંખ્યામાં અસરગ્રસ્ત બન્યા છે જોકે બાળકો કે મોટા સહિત તમામ લોકો ને સારવાર આપવામાં આવી રહી છે પરંતુ તમામ લોકો ભયમુક્ત છે. ઘટનાની જાણ થતા જ આરોગ્ય તંત્ર પણ ગોખલાણા ગામે ઘટના સ્થળે દોડી ગયું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy