રાજકોટ, તા.13
રૂખડીયાપરાના અયુબ યુસુફભાઈ કુરેશીના આપઘાત કેસમાં મુખ્ય આરોપી ઈમરાન ગુલાબ બેલીમને જામીન મુક્ત કરવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો.
આ કેસની વિગત મુજબ, અયુબ કુરેશીએ દવા પી અને આપઘાત કરી લેતા તેના ભાઈ ઈમ્તીયાઝ કુરેશીએ તા. 15/7/2023 ના રોજ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ. જેમાં આરોપી તરીકે ઈમરાન બેલીમ, આમદ હુસેન બેલીમ, હનીફ ઉર્ફે મોહહંમદ બેલીમ, રૂકશાના અબ્દુલ બેલીમનું નામ આપેલ. ફરીયાદ મુજબ અયુબભાઈએ જુન 2016 થી જુન 2019 સુધી તેના સગા સાળા ઈમરાન અને આમદને કટકે કટકે 3 વર્ષમાં રૂ.9 લાખ આપેલ. આરોપીઓ રૂપીયા પરત ન આપતા હતા.
અન્ય આરોપીઓએ પણ ઈમરાન અને આમદનો સાથ આપી મરણજનારને કહેતા હતા કે રૂપીયા નથી આપવાના. મૃતકે સ્યુસાઈડ નોટ લખી હતી. આ ગુનામાં ચાર્જશીટ થતા આરોપી ઈમરાન બેલીમએ હાઈકોર્ટમાં જામીન અરજી કરેલ હતી. જેમાં આરોપીના એડવોકેટ અમૃતા ભારદ્વાજ દ્વારા એવી રજુઆત કરવામાં આવેલ હતી કે આ કામે આઈ.પી.સી. કલમ-306 મુજબ આરોપી વિરૂધ્ધ લેશમાત્ર તત્વો ફલીત થતા નથી. તેમજ સુસાઈડ નોટ હોવા છતા આરોપીનો મુખ્ય રોલ ફલીત થતો નથી.
હાઈકોર્ટે તમામ દલીલો ગ્રાહય રાખી આરોપી ઈમરાન બેલીમને અમુક શરતોને આધીન જામીન પ2 મુકત કરવા હુકમ કરેલ હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં અંશ ભારદ્વાજ, ધી2જ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, રાકેશ ભટ્ટ, જીજ્ઞેશ લાખાણી, ચેતન પુરોહિત, ગૌરાંગ ગોકાણી, હાઈકોર્ટમાં અમૃતા ભારદ્વાજ રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy