નવી દિલ્હી,તા.29
આવનારા સમયમાં રેલવે બે બે મોટી યોજનાઓ પર કામ કરી રહ્યું છે.પહેલી એ કે જે રેલવે ટ્રેક બનાવવામાં આવે તે જયાં પણ સંભવ હોય વધુને વધુ એલીવેટેડ બનાવવામાં આવે બીજુ એવી કોશીશ કરવામાં આવી રહી છે કે બુલેટ ટ્રેન, હાઈસ્પીડ ટ્રેન, સેમી હાઈસ્પીડ ટ્રેન અને સામાન્ય ગતિવાળી ટ્રેન માટે અલગ અલગ ટ્રેક બનાવવાને બદલે એક જ ટ્રેક પર તમામ સ્પીડવાળી ટ્રેનોને દોડાવવામાં આવે.
રેલવે મંત્રાલયનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં જે પણ નવા રેલવે ટ્રેક બનાવવામાં આવે તે એલિવેટેડ હોય અને તેની ઉંચાઈ જમીનથી ચાર મીટર રાખવામાં આવશે અને તેમાં સિંગલ કે ડબલ લાઈનનાં હિસાબે નહી બલકે ચાર લાઈનના હિસાબે ડીઝાઈન કરવામાં આવશે.
જેથી ઓછા ખર્ચમાં વધુને વધુ ટ્રેનો ચલાવી શકાય. તેમાં વચ્ચે લોકોને ટ્રાફીકમાંથી નીકળવા માટે જરૂરત મુજબ સબ-વે, રોડ અને પુલીયા બનાવાશે.જરૂરત મુજબ એલિવેટેડ રેલવે લાઈનોની હાઈટ પણ વધારવામાં આવશે.જેથી તેની નીચેથી બસ, ટ્રક અને અન્ય પ્રકારના વધુ ઉંચાઈવાળી ગાડીઓ પણ સરળતાથી નીકળી શકે.
નિર્ણયથી શું થશે લાભ?
એલિવેટેડ રેલવે ટ્રેક બનવાથી માત્ર ટ્રેનોની સ્પીડ જ નહિં વધે.બલકે દેશમાં અનેક જગ્યાએ ટ્રેનો વચ્ચે રસ્તામાં ઉભી રહેવાના કે ધીમી થઈ જવાથી યાત્રીઓ સાથે જે ચીલઝડપ જેવી ઘટનાઓ બનતી હતી તેના પર લગામ લાગશે. એલિવેટેડ ટ્રેક હોવાથી તેની ફેસીંગ કરવી પણ સરળ બનશે.
રેલવે જયાં લાઈનોની બે બાજુ કાંટાળા તારોની ફેસીંગ કે દિવાલ બનાવે છે ત્યાં અનેક વસ્તીવાળા લોકો તેને પોતાના આવવા-જવાનો રસ્તો બનાવવા માટે તોડી નાખે છે. આટલુ જ નહિં જુના રેલવે ટ્રેકોને પણ એલિવેટેડ બનાવવાની યોજના છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy