રાજકોટ, તા.2
કુવાડવા રોડ પોલીસ મથકે દિવેલીયાપરા વિસ્તારની 14 વર્ષની સગીરાનું અપહરણ થયાનું ગુનો નોંધાયો છે.
ફરિયાદી 35 વર્ષીય માતાએ તેની 14 વર્ષની દીકરીના અપહરણ અંગે ફરીયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું કે, હું પરિવાર સાથે નવાગામ આણંદપરના દિવેલીયાપરા વિસ્તારમાં રહું છું. હું મજુરીકામ કરું છું. મારા પતિ આશરે ત્રણેક વર્ષ પહેલા બીમારીથી મૃત્યુ પામ્યા હતા. મારે સંતાનમા એક દિકરી અને એક દિકરો છે. મોટી દિકરી 14 વર્ષની છે. જ્યારે પુત્ર 12 વર્ષનો છે. મારી દિકરીએ ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો છે.
ગત તા:-28/4ના રાત્રીના અમે હું અને મારા બંને સંતાન જમીને રાત્રે સુઇ ગયા હતા. બાદ તા:-29/4/ના વહેલી સવારે આશરે ત્રણેક વાગ્યે મારી નીંદર ઉડેલ ત્યારે મેં ઉભા થઈને જોયું તો મારી દિકરી જોવા મળેલ નહીં. મેં ઘર આસપાસ તપાસ કરી પરંતુ મારી દિકરી કયાય જોવા મળેલ નહી. સવાર પડતા મે મારા સગા વ્હાલાને ફોન કરી તપાસ કરતા સગા વ્હાલામાં કયાય મારી દીકરીની ભાળ મળી નહોતી. જેથી કોઈ અજાણ્યો શખ્સ મારી દીકરીનું અપહરણ કરી ગયાની મને શંકા થતા પોલીસને જાણ કરી હતી. આ અંગે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી આરોપી અને ભોગબનનારની શોધખોળ શરૂ કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy