ટંકારા તાલુકાના ગજડી ગામના લોકસાહિત્યકાર રાજુભાઈ આહિરનું રા’ના રખોપા દેવાયતની ડેલીએ ગીત યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયું છે. અને રિલીઝ થતાની સાથે જ ઘણા લોકોએ ગીતને નીહાળ્યું હતું. આ ગીતની રચના રાજુભાઈ આહિરના પિતા સ્વ. દેવાયતભાઈ આહિર દ્વારા કરવામાં આવી હતી. અને સ્વ. દેવાયતભાઈ આહિરએ તેમની હયાતિમાં લખેલ "અમર છે એક નામ” પુસ્તકનું પણ ટુંક સમયમાં વિમોચન કરવામાં આવશે તેમા પણ ગુજરાતભરના સાધુ-સંતો અને કલાકારોની ઉપસ્થિત રહેશે.
લોકસાહિત્યકાર રાજુભાઈ આહિરે સૌરાષ્ટ્રભરમાં લોકડાયરાના કાર્યક્રમો કરેલ છે. તેમજ પોતાની યૂટ્યૂબ ચેનલમાં પણ "પાળિયાની વ્યથા, મેવાડનો મોભી, આહિરતાની સત્ય ઘટના, આહિરની ઉદારતા અનૈ દાતારી, માં ની મમતા, જોગીદાસ ખુમાણના જીવનની વાત, બાપ અને દિકરાની વાત સહિતની અનેક ઇતિહાસની વાતો અપલોડ કરેલ છે અને તે હાલમાં લોક સાહિત્યકારની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ઓબીસી ડિપાર્ટમેન્ટ પ્રમુખ છે. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy