કાળઝાળ ગરમીનો લાભ એ.સી. કંપનીઓને મળ્યો !!

એ.સી.ની માંગમાં વધારો : ઘણી કંપનીઓએ 8 ટકા ભાવ વધાર્યો : ઉત્પાદનમાં વધારો

India | 24 June, 2024 | 05:02 PM
અનેક કંપનીઓએ રોકાણ કર્યુ : ગરમીમાં એ.સી. દર બે કલાકે 5 થી 7 મીનીટ બંધ કરવું જરૂરી બને છે
સાંજ સમાચાર

નવી દિલ્હી :
 દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં કાળઝાળ ગરમી વચ્ચે એર કંડિશનર (AC)ની માંગ વધી છે, જેની અસર તેના ભાવ પર પણ પડી છે. ACના ભાવમાં 6 થી 8%નો વધારો થયો છે. વોલ્ટાસ, એલજી અને લોયડ જેવી કંપનીઓના અધિકારીઓનું કહેવું છે કે આ વર્ષે ગરમી પાયમાલ કરી રહી છે, તેથી માંગ ઝડપથી વધી છે. સ્થિતિ એવી છે કે માંગ પ્રમાણે પુરવઠો થતો નથી. ઇન્સ્ટોલેશન અને સર્વિસ માટે ગ્રાઉન્ડ લેવલ પર મેનપાવરની પણ અછત છે. એક મોટી કંપનીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ચારે બાજુથી ઈનપુટ ખર્ચમાં વધારો થવાને કારણે અમારી પાસે કિંમતો વધારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. જે કંપનીઓનો હજુ પણ બજારમાં સ્ટોક છે તે પણ આ વાતાવરણનો લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે.
ઉદ્યોગ 30-40% વધશે

કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સીસ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ સુનિલ વાછાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે ઉદ્યોગમાં 30-40% વૃદ્ધિની અપેક્ષા છે. 2024માં દોઢ કરોડ એસીનું વેચાણ થવાની ધારણા છે, જ્યારે ગયા વર્ષે તે 1.15 કરોડ યુનિટ હતું. આશા છે કે ઉદ્યોગ આવતા વર્ષે તૈયાર થઈ જશે, કારણ કે ગ્લોબલ વોર્મિંગ હવે વાસ્તવિકતા છે.

LGને 1.5 કરોડ અઈ વેચવાની અપેક્ષા છે

એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાના અધિકારી સંજય ચિટકારાએ જણાવ્યું કે, આ વર્ષ એસી ઈન્ડસ્ટ્રી માટે સુવર્ણ વર્ષ રહ્યું છે. અમે જૂન મહિનામાં વેચાણને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ કારણ કે ઘણા રાજ્યોમાં તાપમાન ઊંચું છે. જેનો લાભ કંપનીઓને મળશે.
વોલ્ટાસે રોકાણ વધાર્યું
વોલ્ટાસના MD-CEO  પ્રદીપ બક્ષીએ જણાવ્યું હતું કે AC અને કોમર્શિયલ રેફ્રિજરેટર્સ જેવી પ્રોડક્ટ્સમાં કંપનીનું રોકાણ યોગ્ય દિશામાં છે. ગુજરાત, તામિલનાડુ માં રોકાણ કર્યું છે. 
 

હેવેલ્સે ઉત્પાદનમાં વધારો કર્યો
હેવેલ્સની માલિકીની લોયડ્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ આલોક ટિક્કુએ જણાવ્યું હતું કે રાજસ્થાન અને આંધ્ર પ્રદેશમાં અઈ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કંપની રૂ. 50-60 કરોડનું નવું રોકાણ કરી રહી છે.
આ એસી માટે સાવચેતી 
જરૂરી છે
- AC બિઝનેસમેન વિનોદ નવલના કહેવા પ્રમાણે, ગરમીમાં AC ને વધુ ગરમ થવાથી બચાવવાની જરૂર છે. દર એકથી બે કલાકે 5-7 મિનિટ માટે એ.સી.ને બંધ કરવું જરૂરી છે.
- ઓવરલોડ સર્કિટ પર સ્પ્લિટ AC ચલાવવાથી વાયરિંગ પર વધારાનો ભાર પડે છે, જેના કારણે શોર્ટ સર્કિટ અને આગના જોખમો થાય છે. વોલ્ટેજમાં વારંવારની વધઘટ અઈના ઇલેકટ્રીક પાર્ટસને અસર કરે છે.

- આઉટડોર યુનિટમાં ગંદકીને કારણે કોમ્પ્રેસરનું તાપમાન વધે છે. આઉટડોર યુનિટમાં વિસ્ફોટ ટાળવા માટે, એર કંડિશનરના આઉટડોર અને ઇન્ડોર યુનિટને સમયાંતરે સર્વિસ કરાવવી જોઈએ. જો તમને કોઈ ખામીની શંકા હોય, તો તેને ટેકનિશિયનને બતાવો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj