રાજકોટ તા.27
હાથ ઉછીના આપેલ રૂપિયા પાછા ન આપતાં નુરમામદ બ્લોચે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવની વિગત અનુસાર નુરમામદભાઈ આદમભાઈ બ્લોચ (ઉ.વ.45 રહે- પરેવડી ચોક ખોડીયારનગર) આજ રોજ ભગવતીપરા જુના રેલ્વે બ્રિજ નિચે ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ અંગે નુરમામદભાઈએ જણાવ્યુ કે તેઓએ અલગ અલગ વ્યક્તિને 6 લાખ જેવી રકમ હાથ ઉછીની આપી હતી. જે રકમ પરત માંગતા આપી ન હતી જેથી કંટાળી ભગવતીપરા જુના રેલ્વે બ્રિજ નીચે ગળાફાંસો ખાઈ લેતાં તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તેઓ રિક્ષા લે વેચનો વ્યવસાય કરે છે. તેઓને સંતાનમાં એક પુત્ર- પુત્રી છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી ડિવિજન પોલીસને જાણ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy