અમદાવાદ :
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા 2-3 વર્ષમાં મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખી એરપોર્ટને સુવિધાથી વધારવામાં આવી રહી છે. મુસાફરોને સમયમાંથી રાહત મળે તે માટે એરપોર્ટના ટર્મિનલ-2 પર માર્ચ 2025માં 4 નવા એરોબિજ કાર્યરત થવાની જાહેરાત કરી છે.
પીકઅવર્સમાં અને ફેસ્ટિવલ સિઝનમાં ચેકઈન કાઉન્ટર ઓછા હોવાથી મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હતી. આથી એરપોર્ટ સંચાલકો દ્વારા 22 નવા ચેકઈન કાઉન્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
ટર્મિનલ 2 પર ડોમેસ્ટિકથી ઈન્ટરનેશનલ ટ્રાન્સફર ડેસ્ક પણ તૈયાર કરવામાં આવ્યું છે. વિવિધ સુવિધાઓ અને એરોબ્રિજમાં પણ વધારો થતાં આગામી સમયમાં ફ્લાઇટની સંખ્યા વધશે. ફ્લાઇટોની સંખ્યા વધવાથી ભાડાં પણ ઘટી શકે છે જેથી પેસેન્જરોને ફાયદો મળશે. તો બીજી તરફ ટર્મિનલ-2નું એક્સટેન્શન થઈ રહ્યું છે. જેનાથી આ ટર્મિનલ પરથી ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક પેસેન્જરો કનેક્ટિંગ ફ્લાઇટ સહેલાઈથી પકડી શકશે.
હવે આ ટર્મિનલ પરથી ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિકની ફ્લાઈટો ઓપરેટ થશે. આ ટર્મિનલ પર હવે ગુજરાતની હસ્તકલા, સ્થાપત્ય અને વારસાનો અનુભવ થશે. તેમજ દાંડીયાત્રા અને દેશના સ્વતંત્રતામાં ગુજરાતના યોગદાનની ઝાંખી પણ ઊભી કરાશે.
અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ-2માં આ સુવિધામાં વધારો કરાશે :
♦ ચેકિંગ કાઉન્ટર અત્યારે 34 છે, જેમાં વધુ 22 કાઉન્ટરનો સમાવેશ આવનારા દિવસોમાં થતાં કુલ 56 ચેકિંગ કાઉન્ટર થશે.
♦ સિક્યોરિટી એરિયામાં 4 એક્સ-રે મશીન હતા જે હવે 14 થઈ ગયા છે.
♦ પહેલાં બે બસ બોર્ડિંગ ગેટ હતા, જે વધીને આવનારા દિવસોમાં 8 થશે.
♦ અરાઇવલમાં 4 લગેજ બેલ્ટ હતા, જે વધીને હવે 6 લગેજ બેલ્ટ થયા છે.
♦ અરાઇવલમાં ઇન્ટરનેશનલ કનેક્ટિંગ ફ્લાઇટના પેસેન્જર માટે ઇન્ટરનેશનલ ટુ ઇન્ટરનેશનલ ટ્રાન્સફર ફેસિલિટી ઉભી કરવામાં આવી છે.
♦ ડિપાર્ચરમાં પહેલા 14 ઇમિગ્રેશન કાઉન્ટર હતા, હવે વધીને 19 કરાયા છે. જ્યારે અરાઇવલમાં 16 ઈમિગ્રેશન કાઉન્ટરથી વધી 24 થયા છે.
♦ આ સાથે ટર્મિનલ પર મેટલ ડિટેક્ટરમાં વધારો કરાયો છે, 20 મેટલ ડિટેક્ટરની વ્યવસ્થા ઊભી કરાવામાં આવી છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy