ટોરન્ટો,તા.2
ભારત સાથે સતત તનાવભર્યા સંબંધો રાખી રહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ ફરી એક વખત વિવાદી વિધાનમાં જણાવ્યું હતું કે, ભારત અને કેનેડા દુનિયાના બે મોટા લોકતંત્ર છે પરંતુ બંને દેશોએ સાથે ચાલવાનું શીખવુ પડશે. અમે હરદીપસિંહ નિજજરની હત્યાને નજરઅંદાજ કરી શકીએ નહી. કેનેડામાં ગત વર્ષે 18 જૂનના રોજ નિજજરની હત્યા થઈ હતી.
તેમાં ભારત પર કેનેડાની સરકારે આરોપ મુકયો હતો. તે સમયે ટ્રુડોએ ફરી એક વખત ખાલસાના એક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિખ અને ખાલીસ્તાની સમર્થકોની હાજરી આપ્યા બાદ એક પંજાબી ચેનલ સાથેની વાતચીતમા જણાવ્યું કે અમે ખાલીસ્તાનીઓની સાથે છીએ પરંતુ તેઓએ જે કાંઈ આંદોલન કરવાનું હોય તે શાંતિપૂર્વક કરવાનું રહેશે અમે તે રોકશું નહી.
કેનેડાના વડાપ્રધાને શિખો અને ખાલીસ્તાની તરફીઓને કહ્યું કે, તમારો જે મત છે તેને અમે સમર્થન કરીએ છીએ. કારણ કે કેનેડા એક સ્વતંત્ર દેશ છે પરંતુ તમારે શાંતિપૂર્વક આંદોલન કરવાનું રહેશે. અમારુ કામ રાજકીય આંદોલનને રોકવાનું નથી. અગાઉ ટ્રુડોએ ખાલીસ્તાની સમર્થકોના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ભારતે તેમાં આકરો વિરોધ નોંધાવ્યો હતો છતાં પણ જસ્ટીન ટ્રુડોએ પોતાનું વલણ યથાવત રાખ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy