થાનગઢ નગરપાલિકા વિસ્તારની અંદર એકાદ વર્ષ પહેલા જ 1 કરોડ રૂપિયાના ખર્ચે થાનગઢ મ્યુનિસિપલ હાઈસ્કૂલથી થાનગઢ ચોટીલાના ગેટ સુધી સ્ટ્રિટલાઈટ નાખવામાં આવી હતી. પરંતુ હાલ મોટા ભાગની સ્ટ્રિટલાઇટો બંધ છે.
થાનગઢ નગરપાલિકાની અંદર છેલ્લા 1 વર્ષથી પણ વધારે સમયથી વહીવટદાર શાસન હોવાથી કોઈપણ પ્રકારના પ્રશ્ન બાબતે પ્રજાને ધ્યાન દેવામાં આવતો નથી. થાનગઢ મોટાભાગના વિસ્તાર અંધારપટમાં ફેલાઈ ગયા છે.
થાનગઢ કોંગ્રેસના પ્રમુખ મંગળુ ભગતે જણાવ્યું હતું કે મોટા ભાગની લાટો બંધ હાલતમાં જ હોય છે. તમામ લાઈટો ફરીથી ચાલુ કરવાની માંગ કરવામાં આવે છે જો નહીં કરવામાં આવે તો આની સામે આંદોલન પણ કરવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy