દ્રવિડ યુગનો અંત આવશે! ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ ટીમ માટે નવા કોચ

India, Sports | 11 May, 2024 | 10:50 AM
♦ દ્રવિડનો કાર્યકાળ નહીં લંબાવાય છતાં તે નવેસરથી અરજી કરી શકે છે:જય શાહ
સાંજ સમાચાર

♦ ‘ઈમ્પેકટ પ્લેયર’નો નિયમ એક પ્રયોગ છે, સંબંધીત પક્ષકારો સાથે ચર્ચા બાદ આખરી નિર્ણય થશે

મુંબઈ,તા.11
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના સચિવ જય શાહે જણાવ્યું છે કે, ભારતીય ક્રિકેટ ટીમ માટે નવા હેડ કોચ માટેની જાહેરખબર ટૂંક સમયમાં જ પ્રકાશિત કરવામાં આવશે. રાહુલ દ્રવિડ નવેમ્બર 2021થી ભારતીય ટીમનો કોચ છે અને 2023માં રમાયેલા વન-ડે વર્લ્ડ કપ બાદ તેનો કોન્ટ્રાક્ટ લંબાવવામાં આવ્યો હતો.

પરંતુ હવે એવું નથી લાગી રહ્યું કે ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજનો કોન્ટ્રાક્ટ લંબાવવામાં આવે કેમ કે ભારતીય ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં જ નવા કોચ માટેની જાહેરખબર પ્રકાશિત કરવા જઈ રહ્યું છે. બીસીસીઆઈ સાથે દ્રવિડનો ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકેનો કોન્ટ્રાક્ટ જૂનમાં પૂરો થઈ રહ્યો છે જ્યારે ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપમાં રમી રહી હશે.

દ્રવિડ અને તેના સપોર્ટ સ્ટાફનો કોન્ટ્રાક્ટ નવેમ્બર 2023માં વધારવામાં આવ્યો હતો પરંતુ હવે તેમનો કોન્ટ્રાક્ટ જૂન 2024માં પૂરો થઈ જશે. બીસીસીઆઈ સચિવ જય શાહે જણાવ્યું હતું કે જો રાહુલ દ્રવિડ ઈચ્છે તો તે પણ મુખ્ય કોચ માટે અરજી કરી શકે છે પરંતુ તેમને અગાઉની જેમ તેમનો કોન્ટ્રાક્ટ લંબાવવામાં આવશે નહીં. 

આ ઉપરાંત જય શાહે તે પણ કહ્યું હતું કે,  ચોક્કસ રીતે તે ન કહી શકીએ કે આગામી કોચ ભારતીય હશે કે વિદેશી. તે ક્રિકેટ એડવાઈઝરી કમિટી પર આધાર રાખે છે. આ ઉપરાંત જય શાહે અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ કોચની શક્યતા નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, તે નિર્ણય પણ CAC પર આધાર રાખે છે.

વિરાટ કોહલી, રોહિત શર્મા અને રિશભ પંત જેવા ઘણા ખેલાડીઓ છે જે તમામ ફોર્મેટમાં રમે છે.આઈપીએલની વર્તમાન સિઝનમાં ઈમ્પેક્ટ પ્લેયરના નિયમની ઘણી ટીકાઓ થઈ છે અને ઘણા ખેલાડીઓએ આ અંગે વાંધો ઉઠાવ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા ઈન્ટરનેશનલ ક્રિકેટર્સે આ નિયમની ટીકા કરી છે. આ અંગે શાહે કહ્યું હતું કે, તેઓ આ સાથે જોડાયેલા લોકો સાથે તેની ચર્ચા કરશે અને ત્યારબાદ નિર્ણય લેવાશે કે આ નિયમ યથાવત રાખવો કે નહીં.

જય શાહને કહેવામાં આવ્યું કે, ઈમ્પેક્ટ પ્લેયરના નિયમથી ઓલ-રાઉન્ડર્સનું મહત્વ ઘટી જશે તે અંગે તેમણે કહ્યું હતું કે, ઈમ્પેક્ટ પ્લેયર એક પ્રયોગ છે. જેના કારણે બે નવા ભારતીય ખેલાડીઓને આઈપીએલમાં તક મળે છે. અમે ઈમ્પેક્ટ પ્લેયરને ચાલુ રાખવા અંગે નિર્ણય લેતા પહેલા સ્ટેકહોલ્ડર્સ, ફ્રેન્ચાઈઝીસ અને બ્રોડકાસ્ટર્સ સાથે ચર્ચા કરીશું. આ નિયમ કાયમી નથી. જોકે, કોઈએ હજી આ નિયમ વિરુદ્ધ પ્રતિક્રિયા આપી નથી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj