વઢવાણ, તા. 27
વઢવાણ તાલુકાના વાઘેલા ગામમા થેલેસેમિયા સામે લડાઇ લડીને 14 વર્ષનો પરીક્ષીત અસવાર મોતને ભેટ્યો હતો આથી તેના બાળસખા જાતે જ રીક્ષામાં વાઘેલા ગામ આવ્યા હતા આ સમયે શોક બતાવીને બાળસખા પરીક્ષિતનો ફોટા હાથમાં લઈને બેઠા હતા આથી મૃતક પરીક્ષિત અસવારના પરીવાર અને ગામ ના લોકો પણ શોકાકુળ બન્યા હતા .
આ તકે મૃતકના પિતા અસવાર જયદીપસિંહ વજુભાએ બાળકોને જીવન કુંડળી નહીં પણ થેલેસેમિયા ચેક કરાવવા જાગૃતિ અભિયાનની અપીલ કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લા મા 1000થી વધુ થેલેસેમિયાના ભોગ બનેલા બાળકોને દર મહિને લોહી ચડાવવું પડે છે ત્યારે રક્તદાન અને થેલેસેમિયા ચેક કરાવવા ભાર મુક્યો હતો આથી પરીક્ષીતના મિત્રો અને પરીવાર ગામજનોએ કુંડળી નહીં પણ થેલેસેમિયા ચેક કરાવવા જાગૃતિ અભિયાન કરવાનો સંકલ્પ લીધો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy