રાજકોટ,તા.15
રાજકોટ-ગુજરાતમાં કેટલાક વખતથી અનિયમિત વાતાવરણ રહ્યા બાદ હવે ઉનાળાનો પરચો શરૂ થવાનો હોય તેમ તાપમાન વધશે અને આગામી સપ્તાહમાં 40 ડીગ્રીને પણ આંબી જવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં કહ્યું કે, ગત આગાહીમાં 14 માર્ચે તાપમાન બે ડીગ્રી જેટલુ ઘટવાનું સુચવ્યુ હતું જે અંતર્ગત ગઈકાલે મોટાભાગના સેન્ટરોમાં તાપમાન નોર્મલ કરતા એકથી બે ડીગ્રી નીચે રહ્યું હતું. અમરેલીનું મહતમ તાપમાન 34 ડીગ્રી તથા વડોદરાનું 34.2 ડીગ્રી હતું તે નોર્મલ કરતા બે ડીગ્રી નીચુ હતું. અમદાવાદનું 32.5 ડીગ્રી, રાજકોટનું 34.3 ડીગ્રી, ડીસાનું 34.3 ડીગ્રી તથા ભુજનુ 34.5 ડીગ્રી હતું તે નોર્મલથી એક ડીગ્રી નીચુ હતું.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવે સરેરાશ નોર્મલ તાપમાન 35થી36 ડીગ્રીની રેન્જમાં ગણાતુ હોવાનો નિર્દેશ કરતા તેઓએ તા.15થી22 માર્ચની આગાહીમાં કહ્યું કે આવતીકાલ સુધીમાં તાપમાન નોર્મલ સ્તરે આવી જશે અને ત્યારબાદ ક્રમશ: વધવા લાગવાની સંભાવના છે. તા.17-18 માર્ચ દરમ્યાન તાપમાન વધીને 36થી38 ડીગ્રીની રેન્જમાં પહોંચશે અને 19થી22 માર્ચના દિવસોમાં તે 38થી40 ડીગ્રીએ પહોંચશે.
આ દરમ્યાન અમુક ગરમ સેન્ટરોમાં તાપમાન 40 ડીગ્રીને પણ વટાવી જવાની સંભાવના છે. આગાહીના સમયગાળામાં પવન પશ્ર્ચીમ-ઉતર પશ્ર્ચીમ તથા ઉતરના ફુંકાશે. દિવસ દરમ્યાન અલગ-અલગ સમયે અને જુદા-જુદા સ્થળોએ પવન ફરતા રહેશે. પવનની નોર્મલ ગતિ 8થી15 કિલોમીટરની રહેશે પરંતુ અમુક દિવસોએ મોડીસાંજથી ઝટકાના પવનની ગતિ 30 કી.મી. સુધી પહોંચવાની સંભાવના છે.
તેઓએ ગત આગાહીમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ 11થી14 માર્ચમાં ઉતર ભારતમાં વરસાદ-હિમવર્ષા થવાની આગાહી કરી હતી તે મુજબ હિમાચલ જેવા પર્વતીય રાજયોમાં હિમવર્ષા-વરસાદ થયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy