દિલ્હી,તા.3
તાજેતરમાં થયેલ રિસર્ચ મુજબ જાણવા મળ્યુ કે ટ્રાફિકના વધતા અવાજના કારણે હ્વદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી શકે છે.જેમાં હ્વદયરોગના હુમલાનો સમાવેશ થાય છે. ટ્રાફિકના અવાજના કારણે માત્ર કાર્ડિયોવસ્કયુલર ડિઝિઝ જ નહી પરંતુ સ્ટ્રોક અને ડાયાબિટીસનું જોખમ પણ વધી શકે છે.
નેશનલ ઈન્સ્ટિટયુસ ઓફ હેલ્થ રિસર્ચ અનુસાર રોડ પરથતા અવાજમાં પ્રતિ 10 ડિસેબલ અવાજમાં પ્રતિ 10 ડિસેમ્બલની વૃદ્ધિની સાથે હ્વદય રોગનું જોખમ 3.2 ટકા સુધી વધી જાય છે. રાત્રે થતા ટ્રાફિકમાં થતો અવાજ ઉંઘ બગાડે છે ઉપરાંત રકતવાહિનીમાં તણાવ પેદા કરી હોર્મોનનું સ્તર વધારે છે.
જેના કારણે સોજા અને ધમનીઓની બીમારીઓનું જોખમ વધી શકે છે. ગીચ વસ્તી વાળા વિસ્તારોના રસ્તા કિનારે નોઈઝ બેરિયર લગાવવાથી અવાજને માત્ર 10 ડિસેમ્બર સુધી ઘટાડી શકાય છે. ઉપરાંત સડક નિર્માણમાં ઓછા અવાજ પેદા કરતા ગમરનો ઉપયોગ કરવાથી અવાજને 3-6 ડિસેમ્બર સુધી ઘટાડી શકાય.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy