લોકસભા ચુંટણીમાં મતદારોને જંગી મતદાન કરવા ભાજપ અગ્રણીઓની અપીલ

Politics, Lok Sabha Election 2024 | Rajkot | 06 May, 2024 | 04:57 PM
રાજકોટ-10ના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાના ભવ્ય વિજય માટે શહેર ભાજપ સતત પ્રયત્નશીલ
સાંજ સમાચાર

રાજકોટ:તા 6 
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા જણાવેલ છે કે પક્ષ એટલે વિચારધારા, પક્ષ એટલે સંસ્કાર અને સંસ્કૃતિ, પક્ષ એટલે સંગઠન, પક્ષ એટલે સક્રિય રાજકારણ, પક્ષના કાર્યકરોની એકતા અને સંગઠનની તાકાત વધારી તેને પક્ષના ઉદ્દેશોને સામાન્ય જનતા સુધી પહોંચાડી પાર્ટીનો વિસ્તાર વધારવા તરફ રાહ ચિંધવાની ક્ષમતા, કૌશલ્ય અને કુનેહ ધરાવતું પ્રતિભાશાળી વ્યકિતત્વ હોય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર ત્રીજી વખત બને તે માટે આવતીકાલે લોકસભાની ચૂંટણીના મતદાનનો ધર્મ નિભાવવાની દરેક મતદારની ફરજ છે.

ત્યારે સૌએ સો ટકા મતદાન થાય, રાષ્ટ્રવાદથી છલકાતી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય અને દેશમાં કમળ સોળે કળાએ ખીલે તે માટે આવતીકાલે તા.7/05ના મંગળવારે લોકસભાની ચુંટણીમાં જનતાને લોકશાહીના આ પર્વને ઉજવવા મતદાનનો પવિત્ર ધર્મ ઉજવી જંગી મતદાન કરી અને રાજકોટના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાને જીતાડવા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ અનુરોધ કર્યો છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj