મુંબઈ: બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘેર પુત્રના લગ્નની શરણાઈ વાગવામાં હવે બસ થોડા દિવસો બાકી રહ્યા છે. અનંતના લગ્ન 12મી જુલાઈએ મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે થશે.
નીતા અંબાણીએ કાશીમાં બાબા વિશ્વનાથના ચરણોમાં દીકરાના લગ્નનું પ્રથમ નિમંત્રણ કાર્ડ ચડાવ્યુ હતું. ત્યારબાદ અનંત પોતાના ખાસ મિત્રોને અને મહેમાનોને પોતાના લગ્નનું આમંત્રણ આપવા નીકળ્યો છે.
અજય દેવગન બાદ તે અક્ષયકુમાર અને ટવીન્કલ ખન્નાના ઘેર પહોંચ્યો હતો અને તેમને ચાંદીમાંથી બનાવેલું મંદિરની આકૃતિવાળુ વેડીંગ કાર્ડ આપ્યુ હતું. આ ઉપરાંત અનંત અંબાણી સલમાન ખાનના ઘરની બહાર પણ જોવા મળ્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે અનંત સલમાનને હાથોહાથ લગ્નનું નિમંત્રણ કાર્ડ આપ્યુ હતું. સોશ્યલ મીડીયા પર અનંત અને રાધિકાના લગ્નનું વેડીંગ કાર્ડ વાયરલ થઈ રહ્યું છે, જે ખૂબજ અનોખુ છે. તેમાં અનેક હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિ અને ફ્રેમ છે.
દેખાવમાં ચાંદીના એક નાના મંદિર જેવું છે. બોકસ ખોલતા જ બેકગ્રાઉન્ડમાં હિન્દી મંત્રો વાગવા લાગે છે. અનંત-રાધિકાના લગ્નનો આરંભ તા.12 જુલાઈએ શરૂ થશે. 14મી જુલાઈએ પુરા થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy