♦ સૌરાષ્ટ્રમાં આજની સભા અંગે પણ ચર્ચા થઈ હોવાના સંકેત
રાજકોટ: ગુજરાત ચુંટણી પ્રવાસે આવેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગુજરાતની પાંચ લોકસભા બેઠકોને આવરી લેતી જાહેર સભામાં ભાજપના પ્રચારને એક નવી ઉંચાઈએ પહોંચાડયા પછી આજે તેઓ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર-જુનાગઢ અને જામનગરમાં પણ સભાને સંબોધી રહ્યા છે તે પુર્વે કાલે સાંજે તેઓ ગાંધીનગરમાં રાત્રી રોકાણ કર્યુ હતું અને ગુજરાત ભાજપના વડામથક ‘કમલમ’ પહોંચ્યા હતા.
શ્રી મોદી છેલ્લે વિધાનસભા ચૂંટણી સમયે પણ તેમના જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં નિર્મિત થયેલા આ પ્રદેશ વડામથકની મુલાકાતે પહોંચ્યા હતા અને કાલે તેઓ પહોંચ્યા તે સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા પ્રદેશ અગ્રણી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (સુરેન્દ્રકાકા) ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી અને કમલમમાં કાર્યરત ભાજપના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓએ વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતું.
શ્રી મોદી પહેલા કમલમમાં પક્ષના નેતાઓ, કાર્યકર્તાઓ વચ્ચે થોડી હળવી પળો માણી હતી અને અહીથી રાજયભરમાં જે રીતે ચુંટણી સંચાલન થઈ રહ્યું છે તે અંગે માહિતી મેળવી હતી અને જૂના કર્મચારીઓને પણ તેમના સ્વાસ્થ્ય વિ.ની માહિતી મેળવી હતી.
શ્રી મોદી અને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે એક અત્યંત હૃદયસભર નાતો છે તે ગઈકાલે પણ ફરી જોવા મળ્યું બાદમાં તેઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે બેસીને ગુજરાતના ચુંટણી ચિત્ર અંગે માહિતી મેળવી હતી. ખાસ કરીને જે રીતે રાજયમાં કેટલીક બેઠકોમાં ક્ષત્રિય આંદોલનની અસર હોવાની ચર્ચા છે તે અંગે પણ રાજયના વરિષ્ઠ નેતાઓ પાસેથી ફીડબેક મેળવ્યા હોવાનો સંકેત છે.
આજે સૌરાષ્ટ્રમાં તેમની સભામાં તેનો પ્રતિભાવ પણ જોઈ શકાતો હતો. શ્રી મોદીના આજના સૌરાષ્ટ્ર પ્રવાસથી ભાજપનું ચુંટણી ચિત્ર વધુ પ્રભાવી થઈ જશે તેઓ પક્ષના નેતાઓને વિશ્વાસ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy