જામનગર તા.23
જામનગરમા આ વખતની લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસના અમુક ચુંટાયેલા સભ્યો, ટેકેદારોએ ભાજપાની તરફેણમાં કામગીરી કરી તે જ રીતે ભાજપામાં પણ કેટલાકે પક્ષ સાથે ગદારી કરી હોવાની ચર્ચા તેમજ પાર્ટીઓને અહેવાલ થયાના વાતાવરણ વચ્ચે ઘટનાક્રમને સમર્થન મળતું હોય તેમ સોમવારે રાત્રે કોંગ્રેસના ગ્રુપમાંથી પ્રમુખ દ્વારા એક કોર્પોરેટર, એક કોર્પોરેટરના પરિવારજન, અગાઉ ચુંટણી લડી ચુકેલા સક્રિય સભ્ય તેમજ અમુક કાર્યકરોને રીમુવ કરી નંખાતા આ બાબત ચકચારી બની છે.
આ વખતની લોકસભાની ચુંટણીમાં ક્ષત્રિય આંદોલનને કારણે ભાજપાએ ક્ષત્રિય મતો ઉપર મદાર રાખ્યો ન હતો. આ જ રીતે કોંગ્રેસના ઉમેદવાર લેઉઆ પટેલ હોવાને કારણે લેઉઆ પટેલો પણ મોટા પ્રમાણમાં કોંગ્રેસમાં મત આપે તેવી આશંકા વચ્ચે અન્ય સમાજોના મતદાન ઉપર ધ્યાન કેન્દ્રીત કરાયું હતું.
દરમિયાન ચાલુ મનદાન વેળાએ બંને વસે અમુક નિષ્ક્રીય રહ્યા એ તો અમુક સક્રિય રીતે પક્ષ વિરૂધ્ધ કામ કરતા હોવાની ચર્ચા રસ વહેતી થયા બાદ કોંગ્રેશના ચુંટવી પ્રભારી તરફથી પદેશ ને કથાએ એક કોર્પોરેટર, એક કોર્પોરેટરના પરિવારજન, અગાઉ નું ચુંટણી લડેલા પક્ષના પાયાના કાર્યકર સહિતના પાંચેક લોકો - વિરૂધ્ધ ચુંટણી દરમિયાન પણ વિરોધી પ્રવૃત્તિ કર્યાની લેખિત કરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જે બાદ ગઈકાલે શહેર કોંગ્રેસ પક્ષના વ્હોટસ એપ ગ્રુપમાંથી એડમીન દ્વારા પાંચેય લોકોને રિમુવ કરી નાંખવામાં આવ્યાની ચકચાર વ્યાપી છે.
બીજી તરફ ભાજપામાં પણ અમુક પુર્વ હોદ્દેદારો વિરૂધ્ધ પ્રદેશ કક્ષાએ ફરિયાદો થઈ હોવાનું ચર્ચામાં છે. પરંતુ કોંગ્રેસમાં હાલ સોશ્યલ મીડીયા ગ્રુપ પુરતા એક્શન લેવાયા છે. ભાજપામાં ક્યારે એક્શન લેવાશે, તે લોકસભા ચુંટણીના પરિણામો બાદ ખબર પડી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy