રાજકોટ,તા.22
વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોને દેવું માફ કરવાનું વચન આપ્યું હતું. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શુક્રવારે રાજ્યના ખેડૂતો માટે બે લાખ રૂપિયાની લોન માફીની જાહેરાત કરી દીધી છે.
તેમણે કહ્યું, મંત્રીમંડળે 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોનને માફ કરવાનો નિર્ણય કર્યો. ગત સરકારે પોતાના 10 વર્ષના શાસનમાં માત્ર 28,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરી હતી. ગત સરકારે કૃષિ લોન માફી યોજનાનો લાભ ઉઠાવવા માટે 11 ડિસેમ્બર 2018એ કટ ઓફ લગાવી દીધું હતું.
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે લોન માફીની શરતો સહિત તેનું સંપૂર્ણ વર્ણન બાદમાં જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે લોન માફીથી રાજ્યના ખજાના પર લગભગ 31,000 કરોડ રૂપિયાનો બોજ પડશે. આ પહેલા ગત બીઆરએસ સરકારે પણ આ પ્રકારની યોજનાની જાહેરાત કરી હતી. રાજ્યના ખજાના પર 28,000 કરોડ રૂપિયાનો બોજ પડ્યો હતો.
રેડ્ડીએ નિવેદનમાં કહ્યું, સરકારે ખેડૂતોના કલ્યાણ માટે દેવું માફ કરવાનો નિર્ણય લીધો છે. ગત સરકારે દસ વર્ષ સુધી ખેડૂતોને કરેલા પોતાના વચન પૂરા કર્યાં નથી. અમારી સરકાર રાજ્યમાં સત્તામાં આવવાના આઠ મહિનાની અંદર ખેડૂતોને કરેલા વચન પૂરા કરી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy