જામનગર તા.23
જામનગરમાં વડનગરા નાગરજ્ઞાતિ દ્રારા હાટકેશ્વર જ્યંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં વડનગરા નાગર જ્ઞાતિ દ્વારા ચૈત્ર સુદ ચતુર્દશીનાં હાટકેશ્વર જયંતિ નિમિતે હવાઈ ચોક નજીક આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિરે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટોત્સવમાં હાટકેશ્વર મંદિરમાં સંગીત સંધ્યા, ભજન, શ્લોક ગાન તથા ભગવાન શિવનાં હાટકેશ્વર સ્વરૂપ અંગેની ક્વિઝ સહિતનાં કાર્યક્રમોમાં જ્ઞાતિજનોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. હાટકેશ્વર મહાદેવ મંદિરે ધ્વજારોહણ તથા લઘુરૂદ્રાભિષેક સહિતનાં ધર્મકાર્યો યોજાયા હતાં. સાંજે હાટકેશ્વર દાદાની પરંપરાગત રવાડી નાગરપરા શેરી નં 1 થી ખંભાળીયા ગેઇટ, હવાઈ ચોક થઈ હાટકેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થઇ હતી. રવાડીમાં 12 વર્ષની વય સુધીનાં બાળકો માટે શિવ પરીવારની ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 7 કલાકે હાટકેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાઈ હતી. ટાઉનહોલમાં પાટોત્સવ મહાપ્રસાદ તથા સન્માન સમારોહ યોજાયા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy