ભાજપના ઉમેદવાર રૂપાલાના ફોર્મ સામે વાંધા રજૂ કરનાર અપક્ષ ઉમેદવાર અમરદાસ દેશાણીએ ઉમેદવારી પરત ખેંચી

રાજકોટ બેઠક પર હવે ભાજપ-કોંગ્રેસ સહિત નવ ઉમેદવારો ચૂંટણી જંગમાં

Politics, Lok Sabha Election 2024 | Rajkot | 22 April, 2024 | 03:59 PM
ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા જ છ અપક્ષ ઉમેદવારોને ચૂંટણી પ્રતિક ફાળવાયા: મૂરતીયાઓના નામના બેલેટ સાંજે ચૂંટણી તંત્ર દ્વારા પ્રિન્ટીંગમાં મોકલાશે
સાંજ સમાચાર

રાજકોટ,તા.22
રાજકોટ લોકસભા બેઠકનું ચૂંટણી ચિત્ર આજે ઉમેદવારી ફોર્મ પરત ખેચવાના અંતીમ દિવસે સ્પષ્ટ બની જવા પામેલ છે. આ બેઠક પર હવે ભાજપ કોંગ્રેસ સહિત નવ ઉમેદવારો વચ્ચે રસાકસી ભર્યો જંગ ખેલાશે.લોકસભાની આ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ઉમેદવારી ફોર્મ સામે 30 જેટલા વાંધા ઉઠાવનાર અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ આજે ઉઘડતી કચેરીએજ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા હવે નવ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

અહીં એ ઉલ્લેખનીય છે કે, રાજકોટ બેઠક માટે ભાજપ કોંગ્રેસ સહિત 16 ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ગત શનિવારનાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી દ્વારા જનરલ ઓબ્ઝર્વરની વિશેષ ઉપસ્થિતિમાં ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ભાજપ કોંગ્રેસ સહિત 10 ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ માન્ય રાખવામાં આવેલ હતાં.જયારે 6 ઉમેદવારી ફોર્મ અમાન્ય ઠેરવવામાં આવેલ હતાં.

જે બાદ આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતીમ દિવસે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ઉમેદવારી ફોર્મ સામે 30 વાંધા ઉઠાવનાર અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ એકાએક તેમનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું.

જેના પગલે હવે આ બેઠક પર ભાજપના પરસોત્તમ રૂપાલા કોંગ્રેસના પરેશ ધાનાણી બહુજન સમાજ પાર્ટીના ચમનભાઈ સરસાણી તેમજ અપક્ષ ઉમેદવારો સર્વશ્રી સિંધવ પ્રકાશભાઈ ગોવિંદભાઈ આચાર્ય ભાવેશભાઈ ઉપેન્દ્રભાઈ ઝાલા નયનકુમાર અજાગીયા નિરલભાઈ અમૃતલાલ લુહાર જીજ્ઞેશ રાજેન્દ્રભાઈ અને ભાવેશભાઈ પીપળીયા એમ કુલ નવ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

રાજકોટ બેઠકનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા જ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશી દ્વારા આજે બપોરના અપક્ષ ઉમેદવારોને ચૂંટણી ચિન્હો ફાળવી દેવામાં આવેલ છે.

તેની સાથે જ સાંજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશી તેમજ અધિક કલેકટર મુછાર દ્વારા સાંજે ઉમેદવારોના નામના નામના બેલેટ પર પ્રિન્ટીંગ માટે મોકલી દેવામાં આવનાર છે.રાજકોટ લોકસભા બેઠકનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા જ હવે ચૂંટણી ત્યાથી અને મુકિત વાતાવરણમાં યોજવા માટે ચૂંટણી તંત્ર દ્વારા કસરત શરૂ કરી દેવામાં આવી છે.

તેની સાથોસાથ ગઈકાલે ચૂંટણી સ્ટાફને સેક્ધડ રેન્ડમાઈઝેશન પણ ગઈકાલે કરી દેવામાં આવેલ છે.રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં હવે વધુને વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા મતદાર જાગૃતિના કાર્યક્રમો સાથે ઝુબેશને વેગ આપવામાં આવી રહ્યો છે. તેની સાથો સાથ આચારસહિતાના ચૂસ્ત અમલીકરણ માટે પણ પગલા લેવામાં આવી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj