પટણા, તા.29
બિહારમાં માત્ર 10 જ દિવસમાં પાંચ પૂલ તૂટી પડવાની ઘટનાથી રાજકારણ ગરમાયું છે. રાષ્ટ્રીય જનતાદળના નેતા તેજસ્વી યાદવે કેન્દ્ર તથા રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા.
તેજસ્વી યાદવે ટ્વિટ કરીને એમ કહ્યું કે ‘અભિનંદન બિહારમાં ડબલ એન્જીન સરકારના ડબલ પાવરથી 9 દિવસમાં માત્ર અને માત્ર પાંચ જ પૂલ તૂટ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી નીતીશકુમારના માર્ગદર્શન હેઠળ છ પક્ષોની એનડીએ સરકારે 9 દિવસમાં પાંચ પૂલ ધરાશાયી થવા પર મંગલરાજની શુભેચ્છા આપી છે.’ પ્રમાણિક હોવાનો દાવો કરનારાઓએ લોકોના કરોડો રૂપિયા ડુબાડી દીધા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી નીતીશકુમાર પર નિશાન તાકીને તેઓએ વિપક્ષી નેતાઓ પર પણ પ્રહાર કર્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy