મુંબઇ, તા.1
તાજેતરમાં દીકરી સોનાક્ષીના લગ્નબાદ શત્રુધ્નસિંહા કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમને અહીં રૂટિન ચેકઅપ માટે દાખલ કરાયા છે. દીકરી સોનાક્ષી પતિ ઝહીર ઇકબાલ સાથે પિતાને જોવા હોસ્પિટલે પહોંચી હતી. કપલને હોસ્પિટલમાં જોઇ એવી અફવાઓ શરૂ થઇ ગઇ હતી કે સોનાક્ષી પ્રેગ્નેન્ટ તો નથી ને પણ બાદમાં બહાર આવ્યું હતું કે સોનાક્ષી પપ્પા શત્રુધ્નસિંહાને મળવા આવી હતી. શત્રુધ્નસિંહાને ખરેખર શું પરેશાની થઇ હતી તે હજુ બહાર નથી આવ્યું.
પણ જાણવા મળ્યું છે કે શત્રુધ્ન પોતાના ઘરના ડાઇનીંગ રૂમમાં પડી ગયા હતા. આ ઘટના 25મી જુનની એટલે કે સોનાક્ષીના લગ્નના બે દિવસ પછીની છે. ત્યારે સોનાક્ષી ઘરે જ હતી. જેવા શત્રુધ્નસિંહા દોડ્યા કે સોનાક્ષી મદદ માટે દોડી હતી. એવી ખબર છે કે શત્રુધ્નસિંહાની એક નાની સર્જરી થઇ છે અને તેમને હાલ ડોક્ટરોની વોચમાં રખાયા છે. હાલ તો શત્રુધ્નની હાલત સ્થિર છે. પુત્ર લવસિંહાએ જણાવ્યું હતું કે પપ્પાને છેલ્લા કેટલાક દિવસથી વાયરલ તાવ હતો તેથી હોસ્પિટલે દાખલ કરાયા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy