હજથી પરત ફરી રહેલા યાત્રાળુઓએ સાઉદી અરેબિયાની ગરમી વિશે અહેવાલ આપ્યો: રસ્તા પર અનેક મૃતદેહો જોવા મળ્યા

India, World | 22 June, 2024 | 05:17 PM
હજ યાત્રા કરીને આવેલા અનેક લોકોએ જણાવ્યુ કે ભયંકર ગરમીને કારણે અનેક મોત થયા છે અને લોકો ખૂબ જ હેરાન થયા હતાં. ઉપરોકત તસ્વીરોથી તમને ખ્યાલ આવશે
સાંજ સમાચાર

► સાઉદી સરકાર અનુસાર આસરે 18 લાખ હજયાત્રીઓએ ભાગ લીધો

► આ વખતે 51 ડિગ્રી સુધી ગરમી હતી

► લગભગ 900 યાત્રિકોના મોત જેમાં ભારતના 98 યાત્રિકોનો સમાવેશ

 

મુંબઈ,તા.22
હજ યાત્રા બાદ સાઉદી અરેબિયાથી પરત ફરી રહેલા લોકોએ જણાવ્યું કે ત્યાં ભયંકર ગરમી હતી. એક મુસાફરે જણાવ્યું કે મીનાથી પરત ફરતી વખતે રસ્તા પર મૃતદેહો વિખરાયેલા હતા. રસ્તામાં જ અનેકના મોત થયા હતાં.

આ વખતે સાઉદી અરેબિયામાં હજ યાત્રા દરમિયાન લગભગ 900 લોકોના મોત થયા છે, જેમાંથી 98 ભારતીય છે. આ વખતે હજ યાત્રા દરમિયાન સાઉદી અરેબિયામાં ભીષણ ગરમી જોવા મળી હતી. ગરમીના કારણે મક્કા શહેર ભઠ્ઠી બની ગયું હતું.

અહીં મહત્તમ તાપમાન 51.8 ડિગ્રીએ પહોંચી ગયું હતું. ગયા વર્ષની વાત કરીએ તો હજ યાત્રા દરમિયાન 200 લોકોના મોત થયા હતા અને 2000ની તબિયત લથડી હતી. ગયા વર્ષે મહત્તમ તાપમાન માત્ર 48 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ વખતે હજ યાત્રા દરમિયાન તાપમાનનો પારો 51 ડિગ્રીની ઉપર પહોંચી ગયો હતો.

સાઉદી અરેબિયામાં ગયા મહિને પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે દર દાયકામાં તાપમાનમાં 0.4 ડિગ્રીનો વધારો થઈ રહ્યો છે. મુંબઈના મીરા રોડના રહેવાસી આસિફ અલીએ જણાવ્યું કે આ વર્ષે ગરમી સામાન્ય નથી. હજ કમિટીએ પોતાની બેઠક જાહેર કર્યા પછી જ તેણે આ યાત્રા માટે પોતાને તૈયાર કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, આ મારી પ્રથમ હજ યાત્રા હતી. મેં તેના વિશે ઘણી માહિતી મેળવી હતી.

તેણે વધુમાં કહ્યું કે, નમાઝ માટે હોટલમાંથી નીકળતી વખતે હું મારા માથા પર ભીનું કપડું બાંધી લેતો હતો. તેની સાથે એક બોટલ રાખી અને સતત પાણી પીતો રહ્યો. ગરમી વિશે કંઈપણ વર્ણવવું મુશ્કેલ છે, તે ફક્ત અનુભવી શકાય છે. 35 વર્ષીય ઓવૈસ રિઝવીએ જણાવ્યું કે કાબા પાસે ઘણી વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે, જ્યારે તીર્થયાત્રીઓ પથ્થર મારવાની વિધિ માટે મીનાથી નીકળ્યા ત્યારે ઘણા લોકોની હાલત ખરાબ થવા લાગી.

વાસ્તવમાં, હજ યાત્રીઓ રાતોરાત જાગે છે અને પછી સવારની પ્રાર્થના પછી તરત જ નીકળી જાય છે. લોકોને પાંચથી 10 કિલોમીટર પગપાળા જવુ પડે છે. માર્ગ પર કોઈ આશ્રયસ્થાન નથી જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું કે ઘણા વૃદ્ધ લોકો આ યાત્રા કરે છે. જ્યારે હું શેતાન પર પથ્થરમારો કરીને પાછો આવી રહ્યો હતો ત્યારે મેં રસ્તા પર 18 થી 20 મૃતદેહો પડેલા જોયા. આ લાંબા રૂટ પર 20 લાખ લોકો માટે પૂરતી વ્યવસ્થા કરવી ખૂબ જ મુશ્કેલ છે.

મુંબઈના રહેવાસી 65 વર્ષીય અબરાર તૌકીર હુસૈન સૈયદે કહ્યું કે આ વખતે પણ હજ કમિટી દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી હતી. જો કે, સાઉદી અરેબિયાએ આની જાહેરાત ખૂબ જ મોડી કરી હતી જેથી દરેકને સમયસર સંદેશો ન મળી શકે. પાંચથી 10 કિલોમીટર ચાલવા દરમિયાન ઘણી વખત હંગામો થાય છે.

ત્યાં કોઈ સ્વયંસેવક પણ દેખાતા ન હતા. માત્ર પોલીસકર્મીઓ જ ભીડને નિયંત્રિત કરી રહ્યા હતા. જો રસ્તામાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો અનેક લોકોના જીવ બચી શકે તેમ છે. હજ કમિટિ સાથે સંકળાયેલા એક સભ્યએ જણાવ્યું હતું કે તીર્થયાત્રીઓ ભારે ગરમી માટે પહેલેથી જ તૈયાર હતા.

લોકો માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક જૂની પરંપરા છે. જો કે, ઘણા લોકો અશિક્ષિત અને ખૂબ વૃદ્ધ છે. તેઓ ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં દર્શાવેલ બાબતોને અનુસરવામાં સક્ષમ નથી. સાઉદી અરેબિયાની સરકાર અનુસાર આ વખતે 18 લાખ લોકોએ હજ યાત્રામાં ભાગ લીધો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj