(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 23
સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ હનુમાનજીના મંદિરો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં અને અલગ અલગ ગામોમાં અને ગામડાઓમાં 5000 થી વધુ નાના મોટા હનુમાનજીના મંદિરો આવેલા છે જે સમગ્ર ગુજરાતમાં આવેલા અન્ય જિલ્લાઓ તથા સૌથી વધુ હનુમાનજીના મંદિરો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જ તે 2500 થી વધુ મંદિરો આવેલા છે જેમાં જોરાવનગર રતનપર વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારનો સમાવેશ થઈ રહ્યો છે..
શેરી ગલીઓમાં હનુમાનજીની સ્થાપના કરી અને ભક્તો દ્વારા હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને હનુમાનજી ઉપર અટુટ શ્રધ્ધાં સુરેન્દ્રનગર જિલ્લો ધરાવે છે. અત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના કાનેટી હનુમાનજીના મંદિરે તો સ્વયંભૂ હનુમાનજી પ્રગટ થયા છે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે આવેલા હનુમાનજીનું મંદિર માં આવેલી હનુમાનજીની પ્રતિમા સ્વયંભૂ પ્રગટ થયેલી છે અને તે દર વર્ષે એક ચોખાના દાણા જેટલી વધી રહી છે મોટી થઈ રહી છે સમયાંતરે હનુમાનજીની પ્રતિમા માં અને તેના કદમાં વધારો થઈ રહ્યો છે..
ત્યારે હનુમાનજી દરેક ભક્તોની મનોકામના પૂરી કરે છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જ 2500 જેટલા હનુમાનજીના મંદિર આવેલા છે એટલે દર 100 મીટર એ એક હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં આવેલા ખીજડીયા હનુમાનજીના મંદિરે વેપારીઓ દર્શન કરી અને ત્યારબાદ જ પોતાના ધંધા રોજગાર શરૂ કરે છે સુરેન્દ્રનગર ઉપર આવતી આફતો પણ હનુમાનજીના આશીર્વાદથી ટડી જતી હોય તેવું હનુમાનજીના ભક્તો જણાવી રહ્યા છે..
હનુમાનજીના મંદિરો ત્યાં આવેલા છે ક્યાં હનુમાન જયંતિ ની પણ ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે નાના-મોટા લોકો રોજ દર્શન હનુમાનજીના મંદિર જતા હોય છે અને હનુમાનજી ભક્તોની તમામ મનોકામના પૂરી કરતા હોય છે ત્યારે ખાસ પ્રકારે ખીજડીયા હનુમાન તેમજ નારીચાણા હનુમાનજી તેમજ કાનેટી હનુમાનજી ખાતે કાલે લોક ડાયરાનું આયોજન છે મહાપ્રસાદ અને યજ્ઞનું પણ આયોજન છે ત્યારે મોટી સંખ્યામાં લોકો હનુમાન ભક્તો હનુમાનજીના દર્શન કરી અને ભવ્યતા અનુભવવાના છે.
વહેલી સવારથી હનુમાનજીના મંદિરો ઉપર ભક્તોની લાંબી કતારો લાગી..
આજે હનુમાન જયંતી છે ત્યારે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં હનુમાન જયંતિ ની ધુમધામ પૂર્વક રીતે ઉજવણી કરવામાં આવી રહી છે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને જ્યાં હનુમાનજીના મંદિરો આવેલા છે ત્યાં ભક્તોની લાંબી કતારો વહેલી સવારથી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર ગુજરાત રાજ્યના સૌથી વધુ હનુમાનજીના મંદિરો આવેલા છે ત્યારે નામના મોટા હનુમાનજીના મંદિરો ખાતે આજે સંતવાણી જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે મોડી રાત સુધી આ કાર્યક્રમમાં ચાલવાના છે ત્યારે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હનુમાન જયંતીની ઉજવણી સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ દ્વારા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો કરી અને ઉજવણી કરવામાં આવી છે.
વઢવાણ નજીક મુસ્લિમ યુવકે પોતાના ખેતરમાં ડુંગરિયા હનુમાનજીની સ્થાપના કરી
વઢવાણમાં પણ એક મુસ્લિમ ના ખેતરમાં ડુંગરિયા હનુમાનની સ્થાપના કરવામાં આવી છે જ્યાં ખેતરમાં આ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થયેલ હતી અને આ મૂર્તિ હાલમાં દરેક ખેડૂતો તેની પૂજા કરે છે આજના દિવસે અને જ્યાં સતવારા તેમજ ઘાંચી સમાજના લોકો ડુંગરિયા હનુમાન પાસે માનતા બાધા પણ રાખતા હોય છે અને તેમની બાધા પૂર્ણ થાય છે ત્યારે આ હનુમાનજીની મૂર્તિ એ બાજરાનો રોટલો અને ડુંગળીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને ત્યારબાદ વહેંચવામાં પણ આવે છે ત્યારે વઢવાણમાં મુસ્લિમ પરિવારના ખેતરમાં ડુંગરિયા હનુમાનની સ્થાપના કરી અને ડેરી બનાવવામાં આવી છે જ્યાં પણ ખેડૂતો તેને પૂજા અર્ચના કરે છે.
અનેક મંદિરો સાથે જોડાયેલો છે ઇતિહાસ..
ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતિ. ત્યારે લખતર તાલુકાનાં એક ગામમાં હનુમાનજી ગામની જમીનમાંથી સ્વયંભૂ પ્રગટ થતાં ગામનું નામ હનુમાનજીનાં નામ પર જ પડેલુ હોવાનો એક ઇતિહાસ છે. ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે લખતર તાલુકાથી દસેક કી.મી. દૂર આવેલ ગામ એટલે કે બજરંગપુરા. આ ગામનું નામ પહેલાં બાપોદરા હતું. પરંતુ વરસો પહેલાં ગામની જમીનમાં ખેતી કરતા એક ખેડૂત સાંતી ચલાવતાં હતા. ત્યારે તેઓને જમીનમાંથી એક પથ્થર મળ્યો હતો. બાદમાં તેમણે જોયું તો તે હનુમાનજીની મૂર્તિ હતી. અને તેથી ગામલોકોએ આ જગ્યાએ હનુમાનજીનું વિશાળ મંદિર બનાવેલ છે. અને તે દિવસથી જ આ ગામને બાપોદરાને બદલે જ્યાં સ્વયં હનુમાનજીની મૂર્તિ પ્રગટ થયેલ હોઈ બજરંગપુરા નામ આપ્યું છે. અને ત્યારથી આજેપણ આ ગામ બજરંગપૂરા ગામ તરીકે જ ઓળખાય છે.
ધ્રાંગધ્રાના નારીચાણીયા ગામે સ્વયંભૂ પ્રગટ હનુમાનજી
ધરાઈને વરસેલા વરસાદ પછી વરાપ થતા જગતનો તાત ખેડૂત પરોઢિયે બળદ-સાતી જોડી ખેતર ખૂંદી રહ્યો છે.વલોણામાં દહીં વલોવી છાસમાંથી માખણ તારવી કપડાના ટુકડામાં રોટલાની પોટલી માથે લઇ ચટાક. ચટાક ચાલે ખેડૂતની અર્ધાંગિની ભાત(ટીફીન) દેવા ખેતરે જઈ રહી છે. આજ અરસા માં ભાદરવા સુદ બીજનો દિવસ હતો. નદી કાંઠેના ખેતરમાં એક ખેડૂત હળ હાંકતા- અચાનક હળ સાથે કંઈક અથડાયું. બળદ ઉભા રાખી જોયું તો માટીની કુલડી હતી(ઘડા જેવું અડધો ફૂટનું નાનું માટીનું વાસણ).
કુતૂહલતા સાથે ખેડૂતે કુલડી ની અંદર જોયું. આશ્ચર્ય, અદ્ભૂત ચમત્કાર હતો ત્યા સ્વયંભૂ શ્રી હનુમાનજી મહારાજની એક વેંત લાંબી મૂર્તિમાન પ્રતિમા. લોકવાયકા મુજબ ત્યાં નાની દેરી બનાવી મૂર્તિનું સ્થાપન કરેલ ત્યારબાદ સમયાંતરે મૂર્તિના કદમાં વધારો થયા કરે છે.આજે એ સ્થળે મોટા શિખરબધ્ધ મંદિરમાં માનવ આકારથી મોટી મૂર્તિ દૃશ્યમાન થાય છે.
સારંગપુર હનુમાનજીની મૂર્તિ ભગવાન સ્વામિનારાયણના શિષ્ય ગોપાળાનંદ સ્વામીએ પ્રતિષ્ઠા કરી એશ્વર્ય મૂક્યું જે વિશ્વવિખ્યાત છે. જ્યારે નારીચાણીયા હનુમાનજી પોતે સ્વયંભૂ પ્રગટ થઈ આજે મંદિરમાં બિરાજી અસંખ્ય ભક્તોને એશ્વર્ય આપી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy