વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં આગમન પૂર્વે સુરેન્દ્રનગરમાં તંત્ર કામે લાગ્યું..

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Surendaranagar | 01 May, 2024 | 01:40 PM
સુરેન્દ્રનગરના રાજકોટ બાયપાસ રોડ ઉપર આવેલા ગ્રાઉન્ડ ખાતે 3 લોકસભાની બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરશે સભા : એક લાખ લોકો સભામાં આવે તેવો અંદાજ : વડાપ્રધાનની સભાને લઈ પોલીસ વિભાગના અધિકારીઓના સુરેન્દ્રનગરમાં ધામા : ક્ષત્રિય સમાજ દ્વારા પણ લેટર બહાર પાડી અને વડાપ્રધાનનો વિરોધ ન કરવા અંગે જાહેરાત કરવામાં આવી..
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 1
લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પક્ષો દ્વારા પ્રચાર પ્રસારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને છેલ્લી ઘડીએ પણ પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે .

ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખુદ સુરેન્દ્રનગર ખાતે સભા માટે આવી રહ્યા છે ગુરુવારે બપોરે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ બાયપાસ રોડ ઉપર આવેલા ગ્રાઉન્ડ ખાતે આ સભા યોજવાની છે ત્યારે સભા પહેલા ગુજરાત ભરની પોલીસ અધિકારીઓ આ મામલે કામે લાગ્યા છે અને કોઈ પણ પ્રકારનો બનાવ ન બને તે અંગે પણ રણનીતિઓ ઘડવામાં આવી રહી છે.

ખાસ બેઠકોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે તૈયારીઓને હવે જાણે આખરી ઓપ આપવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે.ગુજરાતની ત્રણ લોકસભાની બેઠક ઉપર ની સભા સુરેન્દ્રનગર ખાતે કરવાની છે .

ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરેન્દ્રનગર ખાતે આવી રહ્યા છે અને ભવ્ય સભા પણ કરવાના છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ નેતાઓમાં તો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથો સાથ હવે સરકારી અધિકારીઓ પણ આ મુદ્દે કામે લાગ્યા છે પોલીસ વિભાગ વહીવટી તંત્ર પણ આ મુદ્દે કામે લાગી અને તમામ પ્રકારની વ્યવસ્થાઓમાં કોઈ ઉણપ ન રહી જાય તે અંગેનો ખ્યાલ પણ કરવામાં આવી રહ્યો છે.

બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા સભા દરમિયાન કોઈપણ પ્રકારનો વિરોધ ન કરવા અંગેનો એક પત્ર બહાર પાડવામાં આવ્યો છે જેને લઇને સુરેન્દ્રનગર વહીવટી તંત્ર પોલીસ વિભાગ અને સ્થાનિક તંત્રની અને ભાજપ પક્ષની ચિંતામાં થોડો ઘટાડો થયો છે કારણ કે અત્યાર સુધી એવું હતું કે નરેન્દ્રભાઈ મોદીની સભામાં કોઈ વિરોધ કરશે તો શું થશે પરંતુ હવે આ અંગે ક્ષત્રિય સમાજ દ્વારા એક પત્ર બહાર પાડી અને કોઈપણ પ્રકારનો વિરોધ કરવામાં નહીં આવે તે અંગેનો પત્ર બહાર પાડવામાં આવ્યું છે અને યુવકોને પણ કોર કમિટી દ્વારા અપીલ કરવામાં આવી છે.

બીજી તરફ સુરેન્દ્રનગર ખાતે વડાપ્રધાન આવવાના હોવાના કારણે અમુક રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યો છે બપોરનો સમય હોવાના કારણે ગરમી વધુ હશે ત્યારે કુલર સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઠંડા પાણી છાસ જેવી વ્યવસ્થા પણ પક્ષ દ્વારા રાખવામાં આવી છે .

ત્યારે ત્રણ લોકસભાની બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાલે સુરેન્દ્રનગર ખાતે સભા કરવાના હોય તે પહેલા પોલીસ વિભાગના ગુજરાત રાજ્યના અધિકારીઓએ સુરેન્દ્રનગરમાં ધામા નાખી દીધા છે અને ખાસ કરીને અભય ચુડાસમા તેમજ અલગ અલગ રેન્જના આઈજીઓ તેમજ પોલીસવડા તેમજ ડીવાયએસપીઓ તેમજ પીઆઇપીએસઆઇ સહિતનો સ્ટાફ હાલ સુરેન્દ્રનગર ખાતે આવી પહોંચ્યો છે.

♦વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સભામાં ક્ષત્રિય સમાજ વિરોધ નહિ કરે..
ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ લેટર બહાર પાડ્યો.વડાપ્રધાનના કાર્યક્રમમાં વિરોધ ન કરવા અંગેનો લેટર બહાર પાડવામાં આવ્યો.સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી અને પોલીસ વિભાગ અને વહીવટી તંત્રએ લીધો રાહતનો શ્ર્વાસ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વિરોધ ક્ષત્રિય સમાજ નહીં કરે.ગુજરાત રાજય ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓ સંકલન સમિતિ દ્વારા પત્ર દ્વારા તમામ ક્ષત્રિય સમાજને સુચનાઓ અપાઇ છે. ક્ષત્રિય સમાજનું આંદોલન રાબેતા મુજબ ચાલું રહેશે.કોઇની સુરક્ષા જોખમાઇ એવું કામ ક્ષત્રિય સમાજ નહીં કરે-સંકલન સમિતિએ કર્યો નિર્ણય.

♦જ્યાં સભા છે ત્યાં મેડિકલ સહિતની સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરવામાં આવી
જ્યાં નરેન્દ્ર ભાઈ મોદી સભા કરવાના છે તે સ્થળ ઉપર પણ મેડિકલ સેવાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે બપોરનો સમય છે ત્યારે ગરમી પણ વધુ છે અને સુરેન્દ્રનગરનો ગરમીનો પારો પણ 40 ડિગ્રીને પહાડ છે એટલે કુલર પંખા સહિતની વ્યવસ્થા તો કરવામાં આવી છે પરંતુ તે છતાં પણ કોઈની તબિયત લથડે તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવશે આ માટે અલગ અલગ આરોગ્ય વિભાગની ટીમો પણ કામે લગાવવામાં આવી છે આ ટીમો જ્યાં સભા છે ત્યાં સ્ટેન્ડમાં રાખવામાં આવશે અને કોઈપણ લોકોને સભામાં આવેલા લોકોની તબિયત બગડે તો તેને ત્યાં જ સારવાર આપવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

♦ વડાપ્રધાનની સિક્યુરિટી માટે 1100થી વધુ પોલીસ કર્મચારીઓ અધિકારીઓ તૈનાત કરાયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરેન્દ્રનગર ખાતે સભા કરવાના છે ત્યારે તેમની સિક્યુરિટી પણ ખૂબ જરૂરી હોય છે ત્યારે આ જ સંદર્ભે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પોલીસ વિભાગની અલગ અલગ ટીમોના અધિકારીઓ સુરેન્દ્રનગર ખાતે અત્યારથી જ આવ્યું પહોંચ્યા છે અને તેમની રહેવા જમવા સહિતની વ્યવસ્થા અત્યારથી જ ઉપલબ્ધ કરવામાં આવી છે કાલે સભા યોજાવાની છે તે પહેલા આજે બપોરે રીયલ સેલનું પણ આયોજન કરવામાં આવવાનું છે ત્યારે 1100થી વધુ પોલીસ કર્મચારીઓ કામે લાગ્યા છે અને ચાંપતો તો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને તમામ સિક્યુરીટી ફોર્સની ટીમો ગોઠવી દેવામાં આવી છે અને આ અંગે સિક્યુરિટી પણ કડક હાથ ધરવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj