પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમનું માનવું છે કે, ટીમના તમામ ખેલાડીઓ ટીમવર્કમાં નિષ્ફળ ગયા અને આ જ કારણ છે T20 વર્લ્ડ કપમાં તેમનો ફ્લોપ શો.
સુપર-8માં પહોંચતાં પહેલાં જ બહાર થઈ ગયેલા પાકિસ્તાનને રવિવાર, 16 જૂને ફ્લોરિડામાં આયર્લેન્ડ સામે આશ્વાસનજનક જીત મળી હતી.
જો કે, ટીમની બેટિંગ ફરી એકવાર સબપાર હોવાથી તેમને જીતવા માટે સખત મહેનત કરવી પડી હતી. જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં બાબરે કહ્યું કે, પાકિસ્તાનનું ખરાબ પ્રદર્શન કોઈ એક વ્યક્તિના કારણે નથી. હું બીજા બધા માટે રમી શકતો નથી, અમે વસ્તુઓને યોગ્ય રીતે ચલાવી શક્યા નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy