રાજકોટ તા.2
હાર્ટએટેકના બનાવો યુવાનોમાં યથાવત રહ્યા હોય તેમ વધુ એક યુવાનના હૃદયે દગો દેતા તેમનું મોત નિપજયું હતું. ઘંટેશ્વરમાં રહેતા 40 વર્ષીય હિરેનભાઈ કામાણી પોતાના ઘરે હતા ત્યારે આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડતા તેમનું મોત નિપજયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ઘંટેશ્ર્વરમાં અરીહંતનગરમાં અમી હાઈટસમાં રહેતા હિરેનભાઈ અશોકભાઈ કામાણી (ઉ.40) ગઈકાલે સાંજના પોતાના ઘરે હતા ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડયા બાદ અચાનક બેભાન થઈ ઢળી પડયા હતા. જેઓને સારવારમાં ખસેડાતા સીવીલ હોસ્પીટલે ફરજ પરના તબીબોએ તેમને તપાસમા મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે જાણ થતા યુનિ. પોલીસ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી.
વધુમાં મૃતક બજાજ ઓટો કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા અને અપરણીત હતા તેમજ એક ભાઈ એક બહેનમાં નાના હતા. બનાવથી પરિવારમાં આક્રંદ છવાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy