રાજકોટ તા.2
રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા 30 જેટલા મામલતદારોની બદલીના ઓર્ડરો ઈશ્યુ કરાયા બાદ રાજકોટ શહેર-જિલ્લામાં અડધોઅડધ મામલતદારોની જગ્યાઓ હજુ ખાલી રહેવા પામી છે. જિલ્લામાં મામલતદારોનું મહેકમ 16નું છે. તેમાંથી 8 જેટલી જગ્યાઓ ખાલી છે. જયારે નાયબ મામલતદારોની 24 જગ્યાઓ વણ પુરાયેલી રહી છે.
જેમાં જસદણ તાલુકા મામલતદાર એન.સી. વ્યાસ ગત માસે સેવા નિવૃત થયેલ છે. આ ઉપરાંત રાજકોટ કલેકટર કચેરીમાં બીનખેતી શાખા, પબ્લીક રીલેશન ઓફીસર, હકકપત્રક નોંધ, પ્રોટોકોલ, આઈઓરા, ચીટનીશ, અધિક ચીટનીશ સહિતની જગ્યાઓ ખાલી પડી છે.
જયારે જિલ્લામાં નાયબ મામલતદારોનું મહેકમ 235નું છે. તેમાંથી 211 જેટલી નાયબ મામલતદારોની જગ્યા ભરાયેલી છે. જયારે 24 નાયબ મામલતદારોની જગ્યા ખાલી પડી છે. લાંબા સમયથી ખાલી પડેલ આ જગ્યા નહી પુરાતા અન્ય કર્મચારીઓ પર કામનું ભારણ વધેલ છે.
અહી એ ઉલ્લેખનીય છે કે કલેકટર કચેરીમાં ખાલી પડેલ 8 જેટલા મામલતદારોની જગ્યા ભરવા માટે અગાઉ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા રાજય સરકારના અધિક મુખ્ય સચિવને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. આ મામલતદારોની જગ્યાઓ હજુ ખાલી જ રહેવા પામી છે.
પ્રોટોકોલ, ચીટનીશ, અધિક ચીટનીશ, ડીઝાસ્ટર, આઈઓરા, હકકપત્રક નોંધ સહિતની 8 મામલતદારોની જગ્યાઓ ખાલી પડી હોય આ જગ્યાઓની કામગીરીનું ભારણ હાલ અન્ય કર્મચારીઓ પર પડેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy