રાજુલા,તા.3
અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના હિંડોરણા ગામ નજીક પુલ પર ગાબડુ પડતા સળીયા દેખાયા હતાં આ પુલમાં નબળી કામગીરી કરેલ હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. પુલ પર ગાબડુ પડતા વાહનચાલકો હેરાન-પરેશાન થયા છે...
ભાવનગર - સોમનાથ નેશનલ હાઇવે જે રાજુલાના હિંડોરણા ગામેથી પસાર થાય છે. હિંડોરણા ગામ નજીક ધાતરવડી નદી ઉપર મહાકાય પુલ બનાવવામા આવ્યો છે. અહીં આ પુલ પર વરસાદ પડવાની સાથે જ ગાબડુ પડયું હતું. પુલ પર ગાબડુ પડતા સળયા દેખાવા લાગ્યા હતાં. આ પુલ અંદાજે સાત મહિના પહેલા બનાવવામા આવ્યો છે. પરંતુ હજુ પ્રથમ વરસાદ પડતા પુલ પર ગાબડુ પડી ગયુ છે.
નેશનલ હાઇવે દ્વારા બનાવેલ પુલમાં નિબળી કામગીરી દાખવી હોય તેમ લાગી રહ્યુ છે. થોડા મહિનાઓ પહેલાં દાતરડી ગામ નજીક આજ સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે પર નવા બની રહેલા પુલ પરથી ગડર તૂટી પડી ગય હતી પણ મોટી જાનહાનિ ટળી હતી કેન્દ્ર સરકારના કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ પુલ લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ સર્જાઇ છે.
નબળી કામગીરીના હોવાને કારણે પુલ પર ગાબડુ પડ્યુ છે અને સળયા દેખાવા લાગ્યા છે. ગાબડુ પડવાને કારણે પુલ પરથી પસાર થતા વાહનચાલકોને પણ હેરાન-પરેશાન થવાનો વારો આવ્યો છે. ત્યારે હવે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy