જામનગર, તા.3
જામનગરમાં વધતા જતા આગના બનાવો વચ્ચે આજે સવારે જીપીસીબીની કચેરીમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં આગને પગલે ફાયર સ્ટાફે દોડી જઇ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે હજુ આગનું કારણ અકબંધ રહ્યું છે. પરંતુ પ્રાથમિક તારણમાં શોર્ટ સર્કિટના પગલે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે.
જામનગરના રામેશ્વર ચોકમાં આવેલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં સવારના સમયગાળા દરમીયાન આગ લાગી હતી. જેના પગલે જામનગર મહાનગરપાલિકાના ફાયર સ્ટાફને જાણ કરાતા ચીફ ફાયર ઓફિસર કે.કે. બિષનોઈ સહિતનો ફાયર સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો.
આગ મામલે કે.કે. બિષનોઈના જણાવાયા અનુસાર આજે જીપીસીબીની કચેરીમાં આગની જાણ થતાં 2 ગાડી સાથે સ્ટાફ દોડી આવ્યો હતો. જ્યાં એક ગાડીનું ફાયરિંગ કરી મહા મહેનતે આગ પર કાબુ લેવામાં ફાયર સ્ટાફને સફળતા મળે છે. જ્યારે સલામતીના ભાગરૂપે એક ગાડી રિઝર્વ રાખવામાં આવે હતી.
જોકે આગ કાબુમાં આવે તે પહેલા કચેરીમાં રહેલું ફર્નિચર ઉપરાંત અમુક ફાઈલ સહિતની સામગ્રી આગમાં હોમાઈ ગઈ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. જોકે આગ સંપૂર્ણ રીતે કાબુમાં આવ્યા બાદ જ કેટલું નુકસાન અને શું કારણ છે? તે અંગે સત્તાવાર વિગતો બહાર આવી શકે છે.
આગના કારણ મામલે બિષ નોઈએ જણાવ્યું કે હજુ કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આ કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી હોવાનું જણાવાઈ રહ્યું છે. મહત્વનું છે કે આ બિલ્ડિંગમાં બાજુમાં ટ્યુશન ક્લાસ ઉપરાંત અનેક એકમો આવેલ છે.
ખાસ વાત એ છે કે સવારનો સમયગાળો હોવાથી કચેરી બંધ હતી. જેને લઈનેં કોઈ જાનહાની થઈ ન હોવાથી તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. આગની ઘટનાને પગલે લોકોના ટોળા એકત્રીત થઇ ગયા હતા. પરિણામે પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy