(લિતેશ ચંદારાણા દ્વારા)
વાંકાનેર તા.3
વાંકાનેર સીટી પોલીસ ઈન્સ્પેકટર એચ.વી. ઘેલાની અધ્યક્ષતામાં વાંકાનેર ખાતે આવેલા ગાયત્રી મંદિરમાં વાંકાનેર કોર્ટના કાયદા શાસ્ત્રીઓ દ્વારા નવા કાયદા અંગે માર્ગદર્શન શિબીર યોજવામાં આવી હતી.
જેમાં ભરતભાઈ દેગામા (વકીલ એસોસીએશન પ્રમુખ) તેમજ અનિરૂધ્ધસિંહ ઝાલા એમ.આર. સોલંકી તેમજ વી.એ. ગોહેલ વગેરે કાયદા નિષ્ણાંત દ્વારા તા.1-7-2024થી લાગુ થતા નવા ફોજદારી સંહિતાની સરળ સમજ અંગેની વિગતવાર માહિતી સ્વરૂપે માર્ગદર્શન પૂરૂં પાડયું હતું.
જેમાં જણાવેલ કે અંગ્રેજો વખથી ચાલતા કાયદાઓમાં સરકાર દ્વારા જે ફેરફારો કરવામાં આવ્યા છે તેમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓની લાગુ પડતી જોગવાઈઓ અંગે કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું. ભારત સરકારે ડિસેમ્બર 2023માં પારિત કરેલ ત્રણ નવા ફોજદારી કાયદાઓની જોગવાઈઓમાં તારીખ 1-7-2024ના રોજથી ગુન્હાને લગતી તપાસ અને અદાલતની કાર્યવાહીને અસર કરતા છે તે અંગે સંક્ષિપ્ત માહિતી સાથે વાંકાનેર પંથકના લોકોને માહિતગાર કર્યા હતા.
જેથી નવા કાયદા અંતર્ગત સજા અને કાયદાકીય જોગવાઈઓ અંગે પણ કાયદાકીય માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાંકાનેર પંથકના વિવિધ વિસ્તારોમાંથી સર્વે સમાજના અગ્રણીઓ, આગેવાનો, કાર્યકરો, યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy