રાજકોટ તા.2
કાલાવડ રોડ પર આવેલ કોસ્મોપ્લેકસ સિનેમા પાછળ ચાલતી બાંધકામ સાઈટમાં ફાંસો ખાઈ 16 વર્ષની તરૂણીએ આપઘાત કરી લેતા શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર કોસ્મોપ્લેકસ સિનેમા પાછળ ન્યુ સેરેનીટી ગાર્ડન રોડ પ્લોટ નં.7 પર ચાલતી બાંધકામ સાઈટના પહેલા માળે મનીતા મગનભાઈ શીંગાડ (ઉ.16) નામની તરૂણીએ છતના હુકમાં દોરડુ બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યાં જ રહેતા તેના ભાઈને બનાવ અંગે જાણ થતા 108ને જાણ કરી હતી અને દોડી આવેલ 108ની ટીમે તરૂણીને તપાસી મૃત જાહેર કરી હતી.
બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરતા સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ મૃતક સગીરાના પિતાનું 10 વર્ષ પહેલા અવસાન થયેલ છે. તેમનો એક ભાઈ અને માતા મધ્યપ્રદેશમાં રહે છે તેમજ તેમનો એક ભાઈ-ભાભી અને બહેન-બનેવી સાથે પાંચ દિવસ પહેલા જ વતનમાંથી રાજકોટ આવ્યા હતા.બનાવ અંગે પરિવારજનો અજાણ હોવાનું જણાવ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy