વઢવાણ, તા. 3
મૂળીના દિગસર ગામે 7 હજારની વસ્તીને જરૂરીયાત મુજબ પીવા પાણી ન મળતા વેચાતુ લેવુ પડી રહ્યુ છે.આથી એલસી 33 લાઇનમાંથી પાણી આપવા કલેકટર કચેરીએ રજૂઆત કરી હતી.જો તેમ નહીં થાય તો આંદોલનની ચીમકી આપી હતી.મૂળી તાલુકાના દિગસર ગામે બે મહિનાથી જસાપર ગામે ટાંકીમાંથી પીવાનુ પાણી અપાય છે.જે સવારે 6થી સાંજના 6 એમ 10 કલાક પુરૂ પડાય છે.
જસાપરથી દિગસર પાણી પહોંચતા 1 કલાક જેટલો સમય થતા એક સંપ પણ પુરો ભરાતો નથી આથી દિગસર ગામની પાંચ હજારની વસ્તી પરેશાન છે.ગામ સીમ જમીનના પાણી ખારા હોવાથી ત્યાં રહેતા 2 હજાથી વધુ મજુરોને પાણી ગામમાંથી પહોંચાડાય છે. અત્યાર સુધી ગામના તળાવમાં આવેલા કુવામાંથી 80 હજારનો ખર્ચ કરી ગામ લોકોને પાણી પુરૂ પડાતુ હતુ છેલ્લા 2 માસથી તળાવ ખાલી હોવાથી કુવામાં ખલાસ થઇ ગયુ છે.
એલસી 33માંથી પીવાના પાણીની માંગણી કરેલ હતી અમને નથી અપાતુ જ્યારે દાણાવાડ પાંડવરા ટીકર ખાટડી અપાય છે. ુ એલસી 33લાઇનમાંથી પાણી મંજુરી અધિકારી આપતા નથી.પાણી પુરછઠા અધિકારી પાણી ચોરી થાય છે અને લાઇન લીકેજ નો જ જવાબ આપે છે.
પાણી પુરવઠા વિભાગે ગામની વસ્તી 4627 બતાવી જે ખરેખર 2011ની વસ્તી ગણતરી મુજબની છે અને માથાદિઠ 70 લીટર લેખે 3,23,890 લીટર જરૂરીયા બતાવાયુ છે.હાલ 7000ની વસ્તીને માથાદિઠ 70 લીટર મુજબ 5 લાખ લીટર પાણીની જરૂરીયાત છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy