રાજકોટ તા.2
આણંદપરમાં રમીલા સોસાયટીમાં 22 વર્ષીય ગર્ભવતી પરિણીતાએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પરિણીતાની સાથે તેમના ગર્ભમાં ઉછરી રહેલા શિશુએ પણ જીવ ગુમાવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ આણંદપરમાં રમીલા સોસાયટીમાં રહેતા નયનાબેન વિક્રમભાઈ ધાડવી (ઉ.22) આજે બપોરના દોઢેક વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા ત્યારે રૂમમાં પંખાના હુકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારજનોને જાણ થતા તેણીને તાત્કાલીક સારવાર અર્થે સીવીલ હોસ્પીટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં મળેલ વિગત મુજબ મૃતક પરિણીતાના દોઢ વર્ષ પહેલા જ વિક્રમ સાથે લગ્ન થયા હતા. તેઓ મુળ ચોટીલાના ખેરાણા ગામના વતની છે. તેણીનો પતિ મજુરીકામ કરે છે તેમજ મૃતકને ત્રણ માસનો ગર્ભ હોવાનું સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે પરિવાર પણ અજાણ હોવાનું રટણ કર્યું હતું. બનાવથી પરિવારમાં આક્રંદ સાથે કલ્પાંત છવાયુ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy