(લિતેશ ચંદારાણા દ્વારા)
વાંકાનેર તા.3
વાંકાનેરમાં ગઈકાલે તા.2ના રોજ વિદ્યાભારતી સંચાલીત સ્કુલ દ્વારા વિવિધ જાતના 200 રોપાનું વિતરણ શાળાના ટ્રસ્ટીઓ તથા શિક્ષક પરિવાર દ્વારા વિનામૂલ્યે કરવામાં આવેલ હતું. જૂલાઈ માસ દરમ્યાન હજુ વિવિધ જાતના રોપાઓનું વધુ વિતરણ કરવામાં આવશે તેમ પર્યાવરણ પ્રેમી શિક્ષક ભુપતભાઈ છૈયાએ યાદી આપતા જણાવ્યું હતું.
દર જુલાઈ માસ એટલે આખો માસ વન મહોત્સવ તરીકે ઉજવવામાં આવતો હોય છે. આ રોપા વિતરણ કાર્યક્રમમાં ટ્રસ્ટી વિનુભાઈ રૂપારેલીયા તથા અમરશીભાઈ મઢવી તથા શિક્ષક પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy