મોરબીના ઉમિયાનગરમાં રહેતા યુવાને કોઈ કારણોસર અંતિમ પગલું ભરી લેતા મોત

Local | Morbi | 03 July, 2024 | 01:46 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.3
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમિયાનગરમાં રહેતા યુવાને કોઈ કારણોસર તેના ઘરમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા સોઓરડીની પાછળના વિસ્તારમાં આવેલ ઉમિયાનગરમાં રહેતા આશિષ લક્ષ્મણભાઈ સનુરા (25) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર આજ તા.3 ના રાત્રીના ત્રણ વાગ્યાના સમય પહેલા કોઇ સમયે પોતે પોતાના ઘરમાં હતો ત્યારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

જેથી કરીને તેના મૃતદેહને તેના બનેવી જગદીશભાઇ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે જોઈ તપાસીને આશીષને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આપઘાતના આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે.
 

વાહન અકસ્માત
હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા ધનજીભાઈ મહાદેવભાઇ દલવાડી (ઉંમર વર્ષ 38) નામન યુવાનને સુસવાવ ગામના પાદરમાં હનુમાન મંદિર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થવાથી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા.ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.જોકે બનાવ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલો હોવાથી અકસ્માતના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.
 

બેલા પાસે અકસ્માત
મોરબીના બેલા નજીક આવેલ સિવાય પ્લાસ્ટિક ખાતે રહેતા એલબર મુકેશભાઈ (ઉંમર વર્ષ 21) અને સંતોષ મોહનભાઈ ભુરીયા (31) નામના બે યુવાનો બાઇકમાં ડબલ સવારીમાં બેલા રોડ વિવાન્ટા સિરામિક કારખાના પાસેથી પસાર થયા હતા.ત્યારે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બંનેને ઈજા થવાથી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવ અંગેની પ્રાથમિક તપાસ એ.એમ.જાપડીયા દ્વારા કરવામાં આવી હતી અને બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હોવાનું જાણવા મળેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj