(વિપુલ હિરાણી)
ભાવનગર, તા. 3
ભાવનગરના વરતેજ ખાતે સમસ્ત શ્રી દરજી સમાજના વિધાર્થી સન્માન સમારંભ તા.30ને રવિવારે યોજાયું હતું. કાળીયાબીડ યુવા ગ્રુપ પ્રમુખ ભરતભાઈ વાઘેલા તથા કમિટી મેમ્બર ખાસ ઊપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું જીતુભાઇ વાઘેલાએ પુસ્તક અને પેનથી આવકાર્યા હતા.કાર્યક્રમના અધ્યક્ષ અને અતિથી વિશેષ તરીકે પધારેલ મોજીલા માસ્તર મુકેશભાઈ વાઘેલા એ પોતાના ઊદ્બોધિત પ્રવચનમાં આપણી જ્ઞાતિમાં શિક્ષણની ખુબ આવશ્કતા છે.
બાળકને સંસ્કારલક્ષી શિક્ષણ આપી તેમનું ભવિષ્ય ઊજજળ બનાવીએ તેમ જણાવ્યું તથા અશોકભાઈ વાઘેલા એ જ્ઞાતિમાં એકતા આવે અને જ્ઞાતિનો સર્વાંગી વિકાસ થાય તે માટે સૌ સાથે મળીને જ્ઞાતિના વિકાસના કાર્યો કરીએ તેમ જણાવ્યું હતું. મહેમાનો તથા વડીલો દ્વારા વિધાર્થીને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા.આ કાર્યક્રમને મહામંત્રી હેમંતભાઈ સોલંકી તથા સર્વે જ્ઞાતિજનો અને યુવાનોએ ઊત્સાહભેર સફળ બનાવ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy