(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 3
સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત પાલિકામાં 150 કાયમી અને 300થી વધુ સફાઇ કામદારો કામ કરે છે.તેમને વિવિધ પ્રશ્ને સમસ્યા હોવાથી કર્મચારીઓ અને ગુજરાત રાજ્યક કર્મચારી સંઘે પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, મદદનીશશ્રમ આયુક્તને નોટીસઆપી રજૂઆત કરી છે.
જેમાં જણાવ્યુ કે અગાઉ પાલિકામાં સફાઇ કામદારોને ખાલી જગ્યામાં કાયમી કરવા સમાવેશ થયો પણ કાયમી કરાયાનથી, તેમને ગ્રેજ્યુઇટી, પ્રોવિડન્ટ ફંડ ચુકવાતુ નથી, જ્યારે નિયમિત પગાર પણ અપાતો નથી, કોન્ટ્રાક્ટર જો નિયમિત પગાર ન ચુકવે તો પાલિકાએ પગાર ચુકવવો ફરજીયાત છે તે પણ 1 થી 10 તારીખમાં ચુકવવા માંગ કરાઇ હતી.
જો તે નહીં કરવામાં આવે તો આગામી તા.15-7-2024થી પાલિકા સામે પ્રતિક ધરણા કરાશે જો આંદોલન ઉગ્ર બનશે તો તેની જવાબદારી નગરપાલિકાની રહેશેની ચીમકી આપી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy