‘સબકા સાથ, સબકા વિકાસ’ના નારાના લીરા ઉડાડતા વિધાનો

જયાંથી મત નથી મળ્યા ત્યાં કામો ન કરો : વડોદરામાં ભાજપ પ્રમુખના ખુલ્લા વિધાનથી રાજકીય વિવાદના એંધાણ

Gujarat, Politics | Vadodara | 17 June, 2024 | 04:04 PM
સાંસદ સન્માન સમારોહમાં શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સલાહ આપી દીધી
સાંજ સમાચાર

વડોદરા,તા.17
સબકા સાથ, સબકા વિકાસના દાવા સાથે રાજયમાં તમામ વર્ગોના સર્વાંગી વિકાસનો દાવોકરી રહેલા સત્તાધારી  ભાજપના જ સંગઠન હોદ્દેદારે પાર્ટીને મત ન આપનારા લોકોના વિસ્તારોમાં કામ નહીં કરવાનું વિધાન કરતા જબરો રાજકીય વિવાદ સર્જાવાના એંધાણ છે.

વડોદરા ભાજપમાં લોકસભા વખતથી આંતરિક જુથબંધી ચાલી જ રહી છે. ત્યારે રવિવારે યોજાયેલ સંસદ સન્માન  સમારોહમાં શહેર પ્રમુખ ડો. વિજય શાહે સનસનીખેજ વિધાનો કર્યા હતા.

સાંસદ હેમાંગ જોષીના સન્માન સમારંભમાં ઉપસ્થિત કાર્યકરો અને ચૂંટાયાલા પ્રતિનિધિઓને સલાહ આપતા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે જણાવ્યું હતું કે, એક વસ્તુ આપણે સ્પષ્ટતાથી કહેવી જોઈએ કે, 2019ની વાત કરીએ, 2020ની કોર્પોરેશનની ચૂંટણીની વાત કરીએ, 2022ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ કે 2024ની આ લોકસભા ચૂંટણીની વાત કરીએ. દરેક વખતે અમુક જ પ્રકારના બુથમાંથી જ ભારતીય જનતા પાર્ટીને મત મળે છે. હું રામપુરા વિધાનસભાની વાત કરૂ છું. દરેક વખતે અમુક પ્રકારના બુથમાંથી ભાજપને મત મળતા નથી અથવા તો ખુબ ઓછા મળે છે.

વધુમાં જણાવ્યું હતું કે, 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય, તેમાં પણ સિંગલ ડિઝિટમાં અને ડબલ ડિઝિટમાં ભાજપને મત મળે છે, ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેઠા છે, તેમણે એવું વિચારવું જોઈએ કે, કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ. એવા વિસ્તારોમાં કામ કરીને આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા પાંચ વર્ષથી, દશ વર્ષથી કે પંદર વર્ષથી પણ મત મળતા નથી. આપણે પણ હવે વિચારવાનો સમય આવ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લોકોને એવું હોય છે કે ચૂંટલે પ્રતિનિધિઓ અમારી વાત સાંભળે કામ થાય એ જરૂરી નથી હોતું. બે દિવસ પહેલા અમે બેઠા હતા ત્યારે એક લોકોનું ટોળું આવ્યું મકાન જર્જરીત મામલે રજૂઆત કરવા, જે બાદ બીજુ ટોળું આવ્યું સ્કૂલ વાન નિયમને લઈને રજૂઆત કરવા, ત્રીજુ ટોળું પણ આવ્યું તો આપણે આ લોકોની રજૂઆત સાંભળવી જોઈએ.

સરકાર તેના નીતિ નિયમ પ્રમાણે કામ કરે, પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ લોકોની સાથે રહેવું જોઈએ. આ રજૂઆતમાં થાય તેનો યોગ્ય નિર્ણય લોકોની સાથે રહીને લેવો જ જોઈએ. આપણે કહીએ કે, પાંચ-છ મહિના પહેલા તમને જર્જરીત મકાન માટે નોટિસ આપી હતી હવે તોડી પાડીશું, આ કહેવાનું બહુ સહેલું છે, પણ ત્યાં 400 પરિવાર રહે છે, જે બેઘર થઈ જશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લોકોની સાથે રહીને કામ કરવું જોઈએ.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj