રાજકોટ તા.2
બિમારીઓથી કંટાળી લોકો શરીરને નુકશાન થાય તેવુ પગલુ ભરી લેતા હોય છે. ત્યારે દૂધસાગર રોડ પર પણ એક એવો બનાવ સામે આવ્યો છે જેમાં કબજિયાત થઈ રહેલા યુવાને પોતાના ગુદાના ભાગે સળીયો ભોકાવી દેતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડવો પડયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ દૂધસાગર રોડ પર રહેતા 21 વર્ષીય યુવાને ગઈકાલે રાત્રીના નવેક વાગ્યાની આસપાસ પોતાના ગુદાના ભાગે લોખંડનો સળીયો ભોકાવી દેતા તે લોહીલોહાણ થઈ ગયો હતો જે અંગે પરિવારજનોને જાણ થતા તેમને સારવાર અર્થે તાત્કાલીક સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસને જાણ કરાઈ હતી.
વધુમાં મળેલ વિગત મુજબ યુવાન પોતાના ઘરે જ લાઈટર બનાવવાનું કામ કરતો હતો અને લાંબા સમયથી કબજિયાતની બિમારીથી પીડિત હતો જેથી ગઈકાલે કંટાળીને તેણે સળીયો ભોંકાવી દીધો હોવાનું સામે આવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy