(જીગ્નેશ ભટ્ટ)
મોરબી, તા.3
હળવદ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈ પણ કારણોસર યુવાન ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતુ.
હળવદમાં આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતો ગોપાલભાઈ માંગીલાલ વાસકલે ભીલ (20) નામનો યુવાન હળવદ નજીક આવેલ વનવગડો હોટલની પાછળથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈપણ કારણોસર ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું.
ત્યારબાદ પાણીમાંથી તેના બોડીને બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા. અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા વધુ તપાસ એસ.ડી. સરૈયા ચલાવી રહ્યા છે.
સગીર સારવારમાં
હળવદ તાલુકાના ટીકર ગામે રહીમભાઈના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા પરિવારના ઈરફાન રહીમભાઈ ભટ્ટી નામના 14 વર્ષના સગીરને પેટના ભાગે છરીનો ઘા લાગેલ હાલતમાં સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. એ ડિવિઝનના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ માટે હળવદ પોલીસને જાણ કરાઈ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy